SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક [વર્ષ : અહીં શ્વેતાંબર જૈન તરફથી દાનશાળા અને એક સુંદર ઔષધાલય ચાલે છે. પાવાપુરી આવવા ઇચ્છનાર શ્રાવકોએ પટણાથી બિહાર લાઇનમાં બેસી બિહાર ઊતરવું. ત્યાંના જિનમંદિરનાં દર્શન-પૂજન કરી ત્યાંથી મેટરનું સાધન મળે છે તે દ્વારા પાવાપુરી અવાય છે. બીજે રસ્તે ગયાથી નવાદા; યા તે લખીસરાઇથી નવાદા આવવું. અને ત્યાંથી ગુણુયાજી જે ગુણશીલવાન ચંત્ય કહેવાય છે, અને જ્યાં પ્રભુ મહાવીરદેવ ઘણીવાર પધાર્યા હતા અને એના સ્મારકરૂપે જ્યાં નાનું જલમંદિર છે, તેમજ સુંદર ધર્મશાળા છે, અને શ્વેતાબર પેઢી તરફથી વ્યવસ્થા ચાલે છે, ત્યાં જઈ પૂજા-દર્શન કરી ત્યાંથી મેટર દ્વારા પાવાપુરી આવી શકાય છે. | એક આશ્ચર્ય—પાવાપુરી જલમંદિરના તળાવમાં અનેક જળચર છ વસે છે. તેમાં સાપ મુખ્ય છે. આ સાપ બહુ મેટા મેટા હોય છે અને બચ્ચાં પણ હોય છે, પરંતુ કદી કોઈને કરડતા નથી. આ જલચર જેવો બીજા જલચર ને સતાવતા નથી. ખેચર પક્ષોઓ પણ અહીં માછલી વગેરે નથી પકડતા. સાપને લેક લોટની ગોળીઓ કરી ખવડાવે છે. સંધ્યા સમયે અનેક સાપ જલમ દિરમાં પહોંચવાના પુલ ઉપર અને ઘાટ ઉપર આવે છે, પણ કદી કોઈને આભડયા નથી. આ સાપને ઉલ્લેખ વિવિધતીર્થંક૯પમાં જિનપ્રભસૂરિજી કરે છે અને યાત્રીઓને કલ્યાણ આશીર્વાદ આપતાં લખે છે કે: नागा अद्यापि यस्यां प्रकृतिनिलया दर्शयन्ति प्रभावं, निस्तैले नीरपूर्ण ज्वलति गृहमणिः कौशिके यन्निशासु ॥ भूयिष्ठाश्चर्यभूश्चमिश्वरमजिनवरस्तूपरम्यस्वरूपा, साऽपापा मध्यमादिर्भवतु वरपुरी भूतये यात्रिकेभ्यः॥१॥ ( વિવિધતીર્થંકલ્પ, પૃ૦ ૨૫ ) જલમંદિરની પાદુકા અતિ ઇર્ણ છે અને પછવાડે જ સુંદર શિલાલેખ છે. પાવાપુરીના કેટલાક શિલાલેખ સુપ્રસિદ્ધ વિદ્વાન બાબુ પુરણચંદજી મહારજીએ પ્રગટ કર્યા છે. શહેરના મંદિરમાં પણું જીણું પાદુકા છે. આ તીર્થ ભગવાન શ્રી મહાવીર સ્વામી ના શાસનમાં સૌથી પ્રથમ તીથ છે અને પ્રાચીન છે. વૈભારગિરિ રાજગૃહી નગરીની નજીકમાં જ સુવર્ણગિરિ, ઉદયગિરિ આદિ પાંચ પહાડે છે, તેમાં વૈભારગિરિ પણ એક સુંદર ન્હાને પહાડ છે. ભગવાન મહાવીરદેવના અગિયાર ગણુધરોનું નિર્વાણન વૈભારગિરિ છે. ભગવાન મહાવીરસ્વામી પછી બાર વર્ષે શ્રી ગૌતસ્વામીનું અને વીશ વર્ષે શ્રી. સુધર્માસવામીનું અહી નિર્વાણુ થયું છે. એટલે આ સ્થાન તીર્થ એ જ સ્થપાયું છે. પહાડ નાને અને વિશાળ છે. ગૌતમસ્વામીની દેરી છે. ધન્નાશાલીભદ્રની દેરી પણ છે. વૈભારગિરિથી પૂર્વમાં દશેક કેશ દૂર પાવાપુરી છે. આકાશ સ્વચ્છ હોય, ધૂમ્મસ કે વાદળ ન હોય ત્યારે પહાડ પરથી પાવાપુરી દેખાય છે. ભશ્વર કના પૂર્વ કિનારે ભદ્રાવતી નગરી હતી, એ આપણું આજનું “દેશ્વર છે. અહીં ભગવાન સુધર્માસ્વામી પ્રતિષ્ઠિત શ્રી પાર્શ્વનાથ પ્રભુની ભવ્ય પ્રતિમા છે. અત્યારે બાવન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy