SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૧] શ્રી જિન સત્ય પ્રકાશવિશેષાંક ન રહ્યો ત્યારે તેને કઈ ગામમાં મૂકી દે છેતરીને ગુમહારાજ પર્વત પર ચડ્યા એટલે ગુરૂમહારાજને અપ્રીતિ ન થાઓ” એમ મનમાં વિચારીને તે ક્ષુલ્લક મુનિ ભક્ત (આહાર) તથા દેહને ત્યાગ કરીને (અનશન કરીને) પર્વતની નીચે જ રહ્યા. ત્યાં મોહ્ન કાળતા સૂર્યના અત્યત ઉષ્ણ તેજથી તપ્ત થયેલા શિલાતળો પર રહેલા તે મુનિ ક્ષણવારમાં જ માખણના ડિની જેમ વિલીન થઈ ગયા, અને શકિતમાન એવા તેમણે યોગીની જેમ શુભ ધ્યાનથી, શરીરને ત્યાગ કરીને દેવલોકમાં બીજા શરીરને ધારણ કર્યું એ વખતે દેવતાઓને આકાશમાગે નીચે ઉતરતાં જોઈને સાધુઓએ વજનિને પૂછ્યું કે “હે પ્રભે, આ દેવતાઓ અહિં કેમ ઉતરે છે?' તેમણે કહ્યું કે “પેલા ક્ષુલ્લક મુનિએ અત્યારે પિતાનું કાર્ય સાધી લીધું છે. દેવતા ઓ તેમના શરીરને મહિમા કરવા આવે છે.” આ પ્રમાણે સાંભળીને મુનિએ વિચારવા લાગ્યા કે “ જ્યારે આ બાલમુનિએ પણ પિતાનું કાર્ય સાધી લીધું. તે આપણે વૃદ્ધ છતાં કેમ ન સાધીએ?” આ પ્રમાણે સંવે રંગમાં મગ્ન થયેલા એવા તે સાધુઓને ત્યાં એક મિથ્યાષ્ટિ દેવતાએ શ્રાવકપણે પ્રકટ થઈને કહ્યું કે હે ભગવન, મારા પર પ્રસન્ન થઈને જે પારણું કરે અને આ મારા સાકરના મેદક તથા જળ ગ્રહણ કરો.” આ પ્રમાણે સાંભળીને એને આગ્રહ આપણને પ્રીતિના કારણરૂપ નથી, માટે આપણે અન્યત્ર જઈએ, એમ વિચારીને તેઓ પાસેના બીજા પર્વત પર ગયા. અને ત્યાંના દેવતાનું સ્મરણ કરીને તે મુનિઓએ કાયોત્સર્ગ કર્યો, એટલે દેવતાએ આવી નમસ્કાર કરી તેમને કહ્યું કે “હે મગવન, આપ અહીં પધાર્યા એ મારા પર મોટે અનુગ્રહ કર્યો” આ પ્રમાણે તેની વાણી સાંભળીને પ્રસન્ન થઈને સર્વ સાધુઓએ વાસ્વામીની સાથે ત્યાં અનશન કર્યું. અને ભાગ્યવિત એવા તેઓ આયુષ્ય પૂર્ણ થતાં સ્વર્ગે ગયા. પછી રથમાં બેસી ઈંદ્ર ત્યાં આવ્યા અને પ્રમોદથી તે મુનિઓના શરીરની તેણે પૂજા કરી. તે વખતે ઈદે રથ સહિત ભકિતથી પિતાના દેહની જેમ વૃક્ષાદિકને અત્યંત નમાવતાં, તે પર્વત ફરતી પ્રદક્ષિણા કરી એટલે તે પર્વતનું નામ રથાવત એવું પ્રસિદ્ધ થયું. દુષ્કર્મ રૂપ પર્વતને ભેદવામાં વજસમાન એવા શ્રી. સ્વામી રવર્ગે જતાં દશમું પૂર્વ અને ચે શું સંધયણ વિચ્છેદ પામ્યું. વસ્વામીના આયુષ્ય કે સ્વર્ગવાસના સમયના સંબંધમાં તેમના ચરિત્રમાં કંઈ પણ ઉલલેખ મળતું નથી; પણ યુગપ્રધાન પદૃવલિયે માં એનો ખુલાસો કરે છે. વજ પ્રથમ ઉદયના ૧૮માં યુગપ્રધાન હતા, એ પ્રમાણે શ્રીદુષ્પમ કાલ શ્રમણ સંઘસ્તવમાં લખ્યું છે. અને ભગવાન મહાવીરસ્વામીથી ૧૩મી પાટે થયા છે એમ પટ્ટાવલ માં લખ્યું છે. એમનું કુલ આયુષ્ય ૮૮ વર્ષનું હતું, જેમાંના ૮ વર્ષ ગ્રહ પર્યાયમાં, ૪૪ વર્ષ સામાન્ય શ્રમણ્યપર્યા. યમાં અને ૩૬ વર્ષ યુગપ્રધાન પર્યાયમાં વ્યતીત થયાં હતાં. વીર નિર્વાણ સંવત ૪૯૬ માં વજસ્વામી મહારાજને જન્મ, વી. નિ. સં. ૫૦૪માં દક્ષા, વી. નિ. સં. ૫૪૮ માં યુગપ્રધાનપદ અને વી. નિ. સં. ૧૮૪માં વિક્રમ સં. ૧૧૪) એ અંતિમ દશપૂર્વધરને સ્વર્ગવાસ થયે હતે. હવે વર્ષિના વજસેન નામના મુખ્ય શિષ્ય વિહાર કરતાં અત્યંત સમૃદ્ધિપૂર્ણ એવા પારક નગરમાં ગયા. ત્યાં યથાર્થ નામને જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતે હતા. સમગ્ર ગુણને ધારણ કરનારી ધારિણે નામે તેને પ્રિયા હતી. તે નગરમાં જિનદત્ત નામને એક For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy