SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ અક ૧-૨ ] શ્રી વજ્રસ્વામી [ ૧૬૭] ધનિક શ્રાવક રહેતા હતા. તેતે ઈશ્વરી નામની ગુણવતી પત્ની હતી. તે વખતે દુકાળથી બધા દુ:ખી થઇ ગયા હતા. એકદા ધર્મપ્રધાન ઈશ્વરીએ પાનાના સ્વજનાને કહ્યું · આપણે આજપર્યંત તા સુખમાં જ જીવ્યા છીએ, પણ હવે ધાન્ય વિના દુ:ખે કેટલો વખત જીવી શકીશું ? તે કરતાં વિષાન્ત જમીને સમાધિસ્થ થઇ જવુ સારૂં, માટે પંચપરમેષ્ઠિનુ` સ્મરણ કરતાં મનન વૃત્તિથી આ દુઃખના ગુરૂ દેહને ત્યાગ કરી એ એટલે સ્વજોએ કહ્યું કે ‘ ભલે એમ જ થાઓ! કારણ કે હવે આ શરીરથી અંત સમયે એ જ ફળ મેળવવા યેાગ્ય છે. ' પછી લક્ષમૂલ્ય અન્ન રાંધીને તે જ્યાં તેમાં વિષ નાખવા જતી હતી ત્યાં વજ્રસેન મુનિ ત્યાં આવ્યા. તેમને જોઈને તે દુષિત થઇને વિચારવા લાગી કે ભાગ્યયોગે ચિત્ત, વિત્ત, અને પાત્ર એ ત્રણેને યાય મળ્યો છે, માટે આજે મુનિને દાન આપી આ જન્મ કૃતાર્થ કરૂં. આવા પાત્રની પ્રાપ્તિ કદાચિત્ દૈવયોગે જ થાય છે. આ પ્રમાણે હર્ષિત થને તેણે મુનિને ભિક્ષા આપી અને લક્ષમૂલ્ય પાક સંબધી હકીકત બધી તેમને નિવેદન કરી. એટલે વજ્રસેન મુનિએ કહ્યું, હું ભટ્ટે, આ પ્રકારના સંકટથી કારણકે આવતી કાલે પ્રભાતે નિ:સશય સુમિક્ષ થશે. ” તેણે પૂછ્યુ સ્વયમેવ આ જાણ્યુ છે કે ખીજા કાઇ પાસેથી સાંભળ્યુ છે ?' તે ખેલ્યા “ શ્રી વસ્વાહે ભગવન, તમે સીએ મને કહ્યું છે કે જ્યારે તુ લક્ષપાક ભાતની ભિક્ષા પામીશ તેને ખીજે દીવસે પ્રાતઃકાળે સુભિક્ષ થશે.' આ પ્રમાણે તેમનું વચન સાંભળીને તે શ્રાવિકાએ દુ:ભિક્ષના તે છેલ્લા દીન્નસને એક ક્ષણુની જેમ વ્યતીત કર્યો. બીજે દીવસે પ્રભાતે ધાન્યથી પરિપૂર્ણ એવા નોકાસમૂહ દૂરથી ત્યાં આવ્યા, એટલે તે શ્રાવિકા તથા સર્વજને તરત જ નિશ્ચિંત થયા. વજ્રસેન મુનિ પણ કેટલાક કાળ ત્યાં જ રહ્યા. જિનદત્ત શ્રેષ્ઠીએ પાતાની પત્ની અને ઘણા પુત્રો સાથે મહાત્સવ સહિત જિનેશ્વર ભગવાનની પૂજા કરી, અને દીન જતેને દાન દીધુ. ત્યારપછી ખીજે દીવસે શ્રી વજ્રસેન મુનિ પાસે શાંત મનવાળા એવા તેમણે મહાત્સવ પૂર્વક અને લાકમાં હિતકારી એવી દીક્ષા ગ્રહણ કરી આત્મસાધનાનું વ્રત આધ્યું...! જીવિતને ત્યાગ ન કરો. ; • સાચું યુદ્ધ इमेण चेव जुज्झाहि किं ते जुज्झेण बज्झओ ? जुद्धारिहं खलु दुल्लभं । હું ભાઇ, તારી જાત સાથે જ યુદ્ધ કર. બહાર યુદ્ધ કરવાથી શું? એના જેવી યુદ્ધને ચેગ્ય બીજી વસ્તુ મળવી દુભ છે. Jain Education International શ્રી આચારાંગસૂત્ર ( · મહાવીરસ્વામીને આચારધર્મ') For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy