SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૧-૨] શ્રી વાસ્વામી [૧૫] અત્યંત ચમત્કાર પામ્યા અને કહેવા લાગ્યા કે “જુઓ, આપણા ધર્મનો પ્રભાવ કે છે કે સાક્ષાત્ દેવતાઓ પણ અહીં આવે છે. આ પ્રમાણે બલીને તેઓ જૈન ધર્મીઓને હલકા પાડવાની ભાવનામાં હતાં, ત્યાં દેવતાઓએ જિનમંદિરમાં પ્રવેશ કર્યો તેથી સાચી વસ્તુ સમજાતાં આખુ દશ્ય બદલાઈ ગયું. બૌદ્ધ ભકતે કહેવા લાગ્યા કે અહો, આ પ્રભાવના તે અર્વદર્શનની થઈ. પછી શ્રાવકો જિનેશ્વર ભગવંતની પૂજા કરીને ઘણું હર્ષને પામ્યા અને પર્યુષણના દીવસે ગુરૂમહારાજનો ધર્મોપદેશ સાંભળી કૃતકૃત્ય થયા. આ ચમકાર જેને બદ્ધ ધર્મનું પાલન કરવાવાળા તે રાજાએ શ્રી જિનેશ્વર દેવ પ્રરૂપિત આહંતુ ધર્મને સ્વીકાર કર્યો. અને સાથે સાથે સમસ્ત પ્રજાએ પણ જૈનધર્મ સ્વીકાર્યો. સંયમના ક્રમ પ્રમાણે ચાલનારા વજીસ્વામી પૃથ્વીતળ પર વિહાર કરતાં અનુક્રમે દક્ષિણ દેશમાં પધાર્યા. એટલે ત્યાંના લોકો મયૂરની જેમ હર્ષ પામ્યા. અને કહેવા લાગ્યા કે વસ્તુતત્ત્વને પ્રકાશ કરતા આ મુનિ ખરેખર સૂર્યસમાન છે. એકદા વજસ્વામીને શ્લેષ્મની પીડા થઈ આવી તેથી કોઈ સાધુને તેમણે સુંઠ લાવવાને આદેશ કર્યો. સાધુએ સુંઠ લાવીને તેમને આપી એટલે “આહાર કર્યા પછી એનો ઉપયોગ કરીશ” એમ ધારીને તેમણે તે સુંઠ પિતાના કાને રાખી પણ આહાર ક્યાં પછી, સ્વાધ્યાય ધ્યાનમાં ઉત્સુક થયેલા વજર્ષિ કાનપર રાખેલી તે સુંઠને એમને એમ જ ભૂલી ગયા. પછી સંધ્યાકાળે પ્રતિક્રમણ ક્રિયામાં મુખવસ્ત્રિકાથી પિતાના શરીરને પડિલેહતાં તે સુંઠ નીચે પડી. તેના પડતાં જ વષિને પિતાના આચાર્યપણાનું સ્મરણ થયું. તે વિચારવા લાગ્યા “હા ! હા ! ધિકકાર હે ! આ મારે મોટા પ્રમાદ થશે.” એ રીતે તે નિંદા કરવા લાગ્યા. પછી તેમણે વિચાર કર્યો કે પ્રમાદમાં કદી નિષ્કલંક સંયમ સધાય નહિ, અને તેવા સંયમ વિના મનુષ્યજન્મ અને જીવિતવ્ય બને નિરર્થક છે, માટે હવે આ શરીરને ત્યાગ કરૂં. તે વખતે ચારે બાજુ બાર વરસને દુષ્કાળ હતો, તેથી તેમણે પોતાના એક શિષ્યને કહ્યું કે “લક્ષમૂલ્યવાળા ભાતની ભિક્ષા તું જે દિવસે પામીશ તેને બીજે દિવસે પ્રભાતે સુભિક્ષ થશે એમ તારે સમજી લેવું. આ પ્રમાણે પિતાના મૃતપારગામી શિષ્ય વજસેનને કહીને તેમને અન્યત્ર વિહાર કરવા ફરમાવ્યું એટલે વસેન મુનીન્દ્ર સાધુઓ સાથે વસુધા પર વિહાર કરવા લાગ્યા. વજસ્વામી પાસે રહેનારા સાધુઓ અનેક ઘેર ભમતાં પણ ભિક્ષા મેળવી શકતા નહતા એટલે ભિક્ષા વિના સુધા સહન કરવામાં અશક્ત બની ગયેલા અને અન્નની વૃત્તિ રહિત તેઓ નિરતર ગુરૂએ લાવી આપેલા વિધાપિંડને ઉપયોગ કરવા લાગ્યા. એકદા ગુરૂમહારાજે કહ્યું કે બાર વરસ સુધી આ પ્રમાણે વિધાપિંડને ઉપયોગ કરવો પડશે, માટે જે તમારા સંયમને બાધા ન લાગતી હોય તો હું તમને દરરોજ લાવી આપું. નહીં તે આપણે અનની સાથે જ શરીરનો ત્યાગ કરી દઈએ.' આ પ્રમાણે ગુરૂનું વચન સાંભળીને ધર્મરાગી એવા તે સાધુઓ બોલ્યા “આ પિષણરૂપ વિધાપિંડને અને પોષવાલાયક આ પિંડ (શરીર) ને ધિક્કાર થાઓ! હે ભગવન, અમારા ઉપર પ્રસાદ કરે છે જેથી આ પિંડ (શરીર) નો અમે ત્યાગ કરીએ.” પછી તે મુનિઓને લઈને વજસ્વામી લોકાંતરમાં ઉધોત કરવા માટે કોઈ પર્વત તરફ ચાલ્યા. તે વખતે એક ક્ષુલ્લક મુનિને રોકતાં પણ જ્યારે તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy