________________
[૧૪]
શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક
[વર્ષ ૪
નજીક આવતાં હોવાથી સમસ્ત જૈન સંધ એકત્રિત થઈને શ્રી વાસ્વામીજીને વિનંતી કરવા આવ્યો.
શ્રી સંઘે વજીસ્વામીને જેનોને ફળફૂલ ન મળી શકે એવા રાજ્યના નિયમથી વાકેફ કર્યા અને કહ્યું કે “હે પ્રભે, પર્યુષણ પર્વના ઉત્તમ દિવસો નજીક આવે છે. એ દીવસોમાં પણ જે અમને પુષ્પો નહિ જ મળે તે સાધુઓની માફક જ અમે પણ માત્ર ભાવ પૂજન જ કરી શકીશું. આપના જેવા ધુરંધર આચાર્ય છતાં તે દુષ્ટ બુદ્ધિઓએ વારંવાર હરાવીને અમને મુવા જેવા ર્યા છે, તે અભિભૂત એવા શ્રી જૈન શાસનની પ્રભાવના કરીને અમને જીવનદાન આપે.” આ ખેદજનક સમાચાર સાંભળી તેમણે કહ્યું “હે શ્રાવકો, તમે શાંત થાઓ. તે બાબતને યોગ્ય પ્રબંધ હું કરી આપીશ.” એ પ્રમાણે કહીને પિતાના વિધાબળથી આગાશમાર્ગે ઉડીને એક નિવમાત્રમાં તે માહેશ્વરી નગરીમાં આવ્યા, અને નગરીના બહારના એક ઉપવનમાં ગયા. તે ઉપવન હુતાશન નામના એક દેવનું હતું. તેને માળી વાસ્વામીના પિતા ધનગિરિજીનો મિત્ર હતું. પ્રાતઃકાળમાં અચાનક વજીસ્વામીજીને જોઈને તે હર્ષ પામતે બોલ્યો “હે પ્રભે, મારા આત્માને ખરેખર ધન્ય ગણું છું કે મને તમે ચિત્તથી દૂર કર્યો નથી. હવે કયા પ્રકારે આપનું આતિથ્ય કરી હુ કૃતાર્થ થાઉં તે આપ કહો.' ત્યારે વવામીએ કહ્યું કે “હે ઉધાનપાલક, મારે સુંદર પુનું કામ છે, અને તે આપવા તું સમર્થ છે. ત્યારે માળીએ કહ્યું “હે પ્રભે, પુષ્પ ગ્રહણ કરી મારા પર અનુગ્રહ કરે, અહીં દરરોજ લગભગ વિશ લાખ ફુલે થાય છે. તેથી વાસ્વામીએ તેને કહ્યું હે ભદ્ર, હું બીજે જઇને અહીં આવું, એટલામાં તું તૈયાર રાખજે.' આ પ્રમાણે કહીને દેવતાની માફક આકાશ માર્ગે ચાલીને તે મહામુનિ શુહિમવંત પર્વત ઉપર ગયા. અને ત્યાંનાં સિદ્ધાયતમાં રહેલી શાશ્વતી જિનેશ્વર ભગવંતની પ્રતિમાજીને વંદન કર્યું. પછી જ્યાં લક્ષ્મી દેવી રહે છે તે પદ્મદ્રહ તરફ આકશમાં ગયા. લક્ષ્મીદેવીએ વજીસ્વામીજીને જોયા, એટલે તરત જ વંદન કર્યું. પછી દેવીએ પૂછયું, હે મહાત્મન, આપનું ક્યાં કારણે અત્રે આગમન થયું છે? મારા લાયક કાંઈ પણ કાર્ય હોય તે ફમાવો.” એટલે મુનીંદ્ર બોલ્યા “હે દેવી, આદેશ માત્ર એટલો જ છે કે તમારા હાથમાં રહેલ આ પદ્મ અમને આપ.” લક્ષ્મીદેવીએ તેમને પદ્મ આપ્યું એટલે ત્યાંથી વાસ્વામી આકાશમાર્ગે પાછા ફરીને હુતાશનના વનમાં ગયા, અને ત્યાં પોતાની વિદ્યાશક્તિથી પાલક વિમાનના નાના ભાઈ જેવું અનેક પ્રકારની શોભાવાળું મનોહર વિમાન વિકુવ્યું અને તેના મધ્ય ભાગમાં શ્રી દેવીએ આપેલ કમલને સ્થાપન કર્યું અને તેની ચારે બાજુ ચિત્ર માળીએ આપેલ ફુલો ગોઠવ્યાં. તે વખતે વજીસ્વામીજી મહારાજે ભક દેવતાઓને સંભાર્યા એટલે જેમ ની પાસે દેવતાઓ હાજર થાય તેમ તે હાજર થયા અને ઇન્દ્રની જેમ તેમની ચારે બાજુ વીંટળાઈ ગયા. પછી છત્ર સમાન તે કમળની નીચે બેસીને વિમાનને આકાશમાર્ગે લઈ જવા માટે તેમણે આદેશ કર્યો, એટલે વિમાનની સાથે ચાલતા જભક દેવતાઓ પણ પિતાના વિમાનમાં બેસીને ગીત વાદ્યાદિ પુર્વક સાથે ચાલ્યા. તે વિમાન દેવતાઓ વડે પરિવરેલ શ્રી વજીસ્વામી મહાપુરી આવ્યા. ત્યાં આકાશમાંથી
ભક દેવતાઓએ સંગીત મહોત્સવ યો, એટલે દિવ્ય વાજીના મધુર સ્વરથી સમસ્ત શહેર શબ્દમય થઈ ગયું. એ જોઈને “આ પિતાના દે છે” એમ માનતા બૌદ્ધ લેક
ain Eવા
For Private & Personal Use Only
www.jainelibrary.org