SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ અક ૧-૨] શ્રી વજીસ્વામી [ ૧૬૧ ] હે મુનિએ, સમગ્ર દશ પૂર્વના અભ્યાસ કરનાર એવા કાઇ અતિથિ જરૂર આજે આવવા જોઇએ' આ પ્રમાણે વાત ચાલતી હતી તેટલામાં વજ્રમુનિ તેની સમક્ષ આવીને ઉભા રહ્યા. અને વિધિપૂર્વક દ્વાદશાવતું વદન કર્યું. આચાય મહારાજને તેમને જોને આન ંદ થયો. અને તેમણે ખાલમુનિને પોતાના ઉત્સગમાં બેસાડી, સુખ પૃચ્છા પૂર્વક પૂછ્યું કે હૈ બાલ મુનિવર, શું તમે કાઇ કાય પ્રસંગને લઇને અત્રે આવ્યા છે કે વિહારના ક્રમથી સ્વાભાવિક આવી ચડયા છે ? એટલે વજ્રમુનિ વિનય પૂર્વક ખેલ્યા ' હું પ્રભા, ગુરૂમહારાજની આજ્ઞાથી આપશ્રીમાનન પાસે દશપૂર્વના અભ્યાસ કરવા માટે હું આવ્યો છું. મારા ઉપર અનુગ્રહ કરીને મને તે ભણાવા. ' પછી ભદ્રગુપ્તાચાયે તેમને દશ પૂર્વ ભણાવ્યા અને તેમણે પણુ ગુરૂની પ્રસન્નતા મેળવીને સર્વ ગ્રહણ કર્યા, મેત્ર જેમ જક્ષને ગ્રહણ કરે તેમ સમ્યક્ પ્રકારે દ` પૂર્વ ગ્રહણ કરીને વર્ષિએ ભદ્રગુપ્તાચાર્યની અનુજ્ઞા લઇને વિહાર કરી તે ક્રમશઃ દશપુર નગરમાં ગુરૂ મહારાજ પાસે પધાર્યા, એટલે આચાય સિદ્ધગિરિજી મહારાજે તેમને પૂર્વની અનુજ્ઞા આપી અને તેમની આચાર્ય પદવીને મહાત્સવ પૂર્વ ભવના મિત્રદેવાએ ધણા જ બડા આડ ંબરથી કર્યો. આ શુભ અવસરે તેમને સ અનુયોગની અનુજ્ઞા આપી, આચાર્ય પદવીથી વિભૂષિત કર્યા, અને સવ જિનેશ્વરીનાં તત્ત્વની તેમનામાં સ્થાપના કરી. પછી કેટલાક કાળે સિંહાંગરિજી મહારાજે વજ્રમુનિને ગચ્છનુ સુકાન આપીને અન્નાનાદિના પ્રત્યાખ્યાનપૂર્વક આ દુનિયાને છેાડી સ્વર્ગ પ્રતિ ગમન કર્યું. ઇન્દ્રજાળ સમાન ગુરૂમહારાજે સ્વર્ગ ગમન કર્યું, એટલે જાણે વજ્રથી હણાયા ન હોય તેમ થોડીવાર તે સ્તબ્ધ જ થઇ ગયા અને તેમના શાકને પાર ન રહ્યો. પછી છેવટ પોતાના આત્માને સમજાવીને શાંતી વાળી, ગુરૂમહારાજે સ્વર્ગગમન કર્યા પછી એક વખત વષિ પાટલીપુત્ર નગરના ઉદ્યાનમાં સમવસર્યા. ત્યાં એકવાર તેમણે વૈક્રિય લબ્ધિથી પોતાનુ કુરૂપ બનાવીને દેશના આપી ત્યારે લેાકેા કહેવા લાગ્યા કે અડ્ડા, આ ગુણને અતરૂપ રૂપ નથી. પછી ખીજે દીવસે પોતાનું સુંદર રૂપ બનાવીને ધમ દેશના આપી એટલે લેાકા કહેવા લાગ્યા કે અડ્ડા, નગરના લોકોને ક્ષેાભ ન થાય તેવા ભયથી આચાર્ય મહારાજે પોતાનુ રૂપ કુરૂપ બનાવ્યું હતુ. • આ તે જ નગરમાં મહાઋદ્ધિશાળી ધન નામના એક શે રહેતા હતા. તેને રૂકમણી નામના રૂપવતી પુત્રી હતી. જ્યારે વસ્વામીજી તે નગરમાં પધાર્યા તે વખતે તેમના સંપ્રદાયની સાધ્વીજીએ તે શ્રેષ્ઠીની યાનશાળા ( ગાડી રાખવાનો તબેલે ) માં ઉતારા કરેલ હતા. તે વારવાર શ્રી. વજ્રસ્વામીજીના ગુગુની સ્તુતિ કરતાં હતાં તે સાંભળીને રૂકિમણીએ ભવમાં મારે। વજ્રસ્વામી જ ભર્યાં થાઓ, જો તે નહિ થાય તે અન્ય ભાગથી સયુ' એવી દૃઢ પ્રતિજ્ઞા કરી. આવી ભીષ્મપ્રતિજ્ઞા કર્યા પછી તેને માટે જે માગુ કરતા તે બધાને તે નિષેધ કરતી. આ બાબતની સાધ્વીએ તે ખબર પડતાં તેતે કહ્યું કે ‘ અરે ભદે, તું ખરે. ખર ભાળી જણાય છે જે વીતરાગ, સંયમી અને પંચ મહાવ્રતને ભાર ઉપાડવામાં પુરધર એવા વજ્રમુનિને વરવાની ઇચ્છા રાખે છે. ' આ પ્રમાણે જ્યારે તેઓએ કહ્યુ ત્યારે તેણી ખેલી કે ' જો વજ્રમુનિ દક્ષિત જ રહેશે અને મારી સાથે લગ્ન નહિ કરે તે। હુ . For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy