SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ અંક ૧-૨] શ્રી વાસ્વામી [ ૧૫૫ ] લાગી કે “હે વત્સ, જે તારા પિતાશ્રીએ તે વખતે ઉતાવળ કરી દીક્ષા લીધી ન હેત તે આજે તારો જન્મ મહોત્સવ ખરેખર બહુ જ સારી રીતે ઉજવાત! આ 'માણે સાંભળતાં પૂના દેવભવના જ્ઞાન શથી તે બાલક સંસીની જેમ વિચાર કર મા લાગઃ “અડે, મારા પૂજ્ય પિતા બીએ ચરિત લીધું, તેથી તે મહાભાગ્યશાળી કહેવાય. વળી પણ સત્યમથી જ ભવને પાર પામી છે. આ પ્રમાણે વિચાર કરતાં તને જાતિસ્મરણ જ્ઞાન પેદા થયું, અને તેણે પિતાને પૂ ભવ દેખે. જાતભરણથી સંસારની અસારતાને જાણુને, હજી જેના મુખમાં અન્નને દાગે પણ ન કરી શક્યું નથી એવા તે ધો ૫ણું બાલકે પિતાના પિતાના પંથના પથિક બનવા ( ચારિત્ર લેવા)ની ઇચ્છા કરી. પછી પિતે વિચાર કર્યો કે મારી માતા મારાથી ઉગ પામશે તે જ મારે ત્યાગ કરશે. એમ સમજીને તેણે બાળ૫ણાને સહજ એ રૂદનરૂપ ઉપાય શોધી કાઢો, “તારાનાં તો વરું.” અને તે અનુસાર પિતે રેવાનું શરૂ કર્યું. તેની માતા તેને સ્નેહથી અનેક રીતે બેલાવે, વિવિધ જાતનાં રમવાનાં સાધને બતાવે, છતાં તે છાને ન રહ્યો. આથી સુનંદા વિચારવા લાગી કે–આ બાલક સર્વ રીતે આનંદ આપે તેવો છે, છતાં એ મોટેથી રૂદન કરીને જે કંટાળો આપે છે તેનાથી મારું મન ખરેખર દુભાય છે. આવી રીતે પુત્રથી કંટાળી ગયેલી સુનંદાએ સો વર્ષ તુલ્ય છ મહિના મવકષ્ટથી પસાર કર્યા. એવામાં એક વખત આર્ય ધનગિરિ અને આર્ય સમતાદિક શિષ્યોથી પરિવરેલા સિંહગિરિ આચાર્ય તે નગરમાં પધાર્યા. ત્યાં વસતિમાં બિરાજમાન થયેલા ધનગિરિએ ગુરૂમહારાજને વિજ્ઞપ્તિ કરીઃ “હે ભગવન, આ નગરમાં અમારા સંસારીપણાના સ્વજનવાર્ય છે. માટે અમો આપ શ્રીમાનની આજ્ઞાથી તેમને વંદન કરાવવા જવા ઇચ્છીએ છીએ. આ પ્રમાણે પૂછતાં હતાં ત્યાં શુભ સૂચક શુકન થતાં નિમિત્તજ્ઞ ગુરૂ મહારાજે કહ્યું “હે મુનિઓ, આજ તમને મહાન લાભ થવાનો છે, માટે ખુશીથી તમારા સ્વજન વર્ગ પાસે જાઓ. ભિક્ષામાં સચિત્ત, અચિત્ત કે મિશ્ર જે કાંઈ મળે તે મારી આજ્ઞાથી ખુશીથી ગ્રહણ કરજો. આ પ્રમાણે ગુરૂવચત શિરસાવંધ કરી મુનિઓ ભિક્ષાર્થે ગામ માં ગયા. અને સૌથી પ્રથમ સુનંદાને ઘેર જ ગયા. અને “ધર્મ લાભ” એવો ઉચ્ચાર કર્યો. આ અવસરે પાડોશીઓ તથા સુનંદાની સખીઓ વગેરે આવીને સુનંદાને કહેવા લાગીઃ “હે ભદ્રે, આ તારા પુત્રને તેના પિતાને સેંપી દે, એટલે આપણે જરા જોઈએ તે ખરા કે એને ગ્રહણ કરે છે કે નહીં. આથી બાળકના સતત રૂદનથી કંટાલી ગયેલી સુનંદા તે પ્રમાણે કરવા ઉત્સુક થઈ. અને તે ધાવણું બાળકને લઈને આર્ય ધનગિરિજી મહારાજને કહેવા લાગી “હે મહારાજ, આટલા કાળ પર્યત જે કે આ બાળકનું મેં મારા આત્માથી પણ વધારે લાલન પાલન કર્યું છે, પરંતુ આ રૂદન કરતા તમારા પુત્રે મને ખરેખર છ છ મહિના સુધી નાટકણીની જેમ નચાવો છે. કદાચ એ તમારી પાસે શાંત થશે. જો કે તમે સંયમી છે, તે પણ તમારા આ પુત્રને સ્વીકારો કે જેથી આ દુઃખમાંથી હું નિવૃત્ત થા,” આ સાંભળી ધનગિરિ મહારાજે સ્પષ્ટ કહ્યું “હે ભદે, યદ્યપિ હું મારા પુત્રને ગ્રહણ કરીશ, પરંતુ સ્ત્રીઓનું વચન પાંગળા માણસ જેવું અસ્થિર હોય છે.' આ પુત્ર મને આપ્યા પછી તને જરૂર પસ્તાવે થશે, માટે બરાબર વિચાર કરીને જjainelibrary.org För Private & Personal Jain Education International
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy