SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ [૪] શ્રી જૈન સત્ય પ્રકાશ-વશેષાંક વિષ ૪ અવશ્ય કરાયા હત. આવા એક પણ ઉલ્લેખ નથી મળતા એટલે ચંદ્રગુપ્તની દીક્ષાની વાતા પાયા વગરની હરે છે. જો કે દિગંબરો, ચંદ્રગુપ્ત જૈન મુનિ થયા હતા અને તેનું તથા ભદ્રબાહુસ્વામીનું સ્વ ગમન શ્રવણુએલગેાલમાં થયુ, એમ માને છે, પણ ધણા દિગંબર આચાર્યોં તથા વિદ્યાનેાના ઉલ્લેખા તેના વિરોધમાં જાય છે, અને તેથી ચંદ્રગુપ્તની દીક્ષાની બિના સિદ્ધ કરવી અશક્ય થઇ પડે છે. આ રહ્યા એ ઉલ્લેખાઃ ૧ આચાર્ય જિનસેન - આદિપુરાણુ ' પર્વ ૨, શ્લોક ૧૪૦-૧૪૧માં તથા દ્વિતીય આચાર્ય જિનસેન હરિવંશપુરાણુ ' સર્ગ ૬૦ શ્લોક ૪૭૯માં ભદ્રબાહુસ્વામીનું સ્વર્ગગમન વીરિન, સ. ૧૬૨માં માને છે, જ્યારે હરિવંશપુરાણુ શ્લોક ૪૮૯માં ચંદ્રગુપ્તનો રાજ્યપ્રાપ્તિ વીરનિ. સ. ૨૧૫માં માને છે. આ રીતે બન્ને વચ્ચે ૫૩ વર્ષનું અંતર છે. એટલે જ્યાં એ બન્ને મળ્યા જ નથી ત્યાં ગુરૂ-શિષ્ય હાવાની કે દીક્ષાની વાત જ શી કરવી ? 6 " ૨ આચાર્ય હરિષણુકૃત ‘ બૃહત્કથાકાશ, બ્રહ્મચારી નેમિત્તકૃત · આરાધના કથાકાશ ' કથા ૬૧ પૃ૦ ૨૮૦ તથા તેના ભાષાછંદ પૃ૦ ૩૩૪માં ભદ્રબાહુસ્વામી તથા વિશાખાચાયના ઉલ્લેખ છે. ભદ્રબાહુસ્વામીનું ઉજ્જૈન પાસે સ્વગમન બતાવ્યું છે, અને દિગંબર સંપ્રદાયમાં પ્રચલિત શ્રવણોલગાલમાં અનશન કર્યાને કે ચંદ્રગુપ્તના ઇશારા સરખા ય નથી. ૩ ચિદાનંદકૃત કનડીભાષાના · મુનિવશાભ્યુદય ’માં લખ્યું છે કે એક ચિત્તાએ ભદ્રબાહુને શ્રવણબેલગોલમાં મારી નાખ્યા. તેમને તથા ચંદ્રગુપ્તને મેળાપ જ થયા નથી. ૪ ‘ પુણ્યાશ્રવકથાકાશ 'માં ઉપવાસલાષ્ટક પૈકીની પાંચમી નદીમિત્રની કથામાં ઉલ્લેખ છે કે— કુણાલના પુત્ર દ્વિતીય ચંદ્રગુપ્તે પોતાના પુત્ર સિ’હુસેનને રાજગાદી આપી ભદ્રબાહુવામી પાસે દીક્ષા લીધી. અર્થાત્ આ વાત ઋતિહાસથી ધણી વેગળી જઇ પડે છે. ૫ અમરાવતીની ધી કિંગ એડવર્ડ કૅલેજના પ્રેફેસર હીરાલાલજી દિગંબર જૈન શ્રવણુખેલગાલના શિલાલેખની ભૂમિકામાં લખે છે કે “ ભદ્રબાહુ અને ચંદ્રગુપ્તના કાળમાં ૬૭ વતું અંતર પડે છે. ” ૬ ચંદ્રગિરિની ચંદ્રગુપ્ત વસતિમાં શિલાલેખ છે ઃ–પ્રથમ ભદ્રબાહુસ્વામીની પરંપ રાના બીજા ભદ્રબાહુસ્વામીનું અનશન શ્રવણબેલગોલમાં થયું હતું. અને તે વખતના કાઇ પ્રભાચંદ્રે તેમની પાસે દીક્ષા લીધી હતી. આ ઉપરથી એમ નકકી થાય છે કે સમ્રાટ ચંદ્રગુપ્ત જૈન સાધુ થયા હતા એમ નહીં, પણ વિક્રમની બીજી સદીના કાઇ ચંદ્રે (નાગેન્દ્ર, ચદ્ર, વિદ્યાધર અને નિવ્રુતિ પૈકીના ચંદ્રકુમારે ) ખીજા ભદ્રબાહુસ્વામી ( શ્રી વસ્વામીના શિષ્ય શ્રી વસેનસૂરિ ) પાસે દીક્ષા લીધી હતી. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.520001
Book TitleJain Journal 1938 01 to 12
Original Sutra AuthorN/A
AuthorJain Bhawan Publication
PublisherJain Bhawan Publication
Publication Year1938
Total Pages646
LanguageEnglish
ClassificationMagazine, India_Jain Journal, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy