SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ 11 દ્રવ્યની ઉત્પત્તિ અને વિનાશ થતો નથી; તેનો “અસ્તિ' સ્વભાવ જ છે. ઉત્પાદ, વ્યય અને ધૃવત્વ પર્યાયને લઈને છે. 12 પર્યાયથી રહિત દ્રવ્ય ન હોય, દ્રવ્ય વિના પર્યાય ન હોય, બન્ને અનન્યભાવથી છે એમ મહામુનિઓ કહે 13 દ્રવ્ય વિના ગુણ ન હોય, અને ગુણ વિના દ્રવ્ય ન હોય, બન્નેનો - દ્રવ્ય અને ગુણનો અભિન્ન ભાવ તેથી 14 ‘સ્યા ૧અસ્તિ', “ચાત નાસ્તિ', “ચાત ૩અસ્તિ નાસ્તિ', “ચાત ૪અવક્તવ્ય’, ‘સ્યાત અસ્તિ અવક્તવ્ય’, ‘ચાતુ ૬નાસ્તિ અવક્તવ્ય’, ‘ચાત ૭અસ્તિ નાસ્તિ અવક્તવ્યં’ એમ વિવક્ષાને લઈને દ્રવ્યના સાત ભંગ થાય છે. 15 ભાવનો નાશ થતો નથી, અને અભાવની ઉત્પત્તિ થતી નથી. ઉત્પાદ, વ્યય ગુણપર્યાયના સ્વભાવથી થાય છે. 16 જીવ આદિ પદાર્થો છે. જીવનો ગુણ ચૈતન્ય-ઉપયોગ છે. દેવ, મનુષ્ય, નારક, તિર્યંચાદિ તેના અનેક પર્યાયો છે. 17 મનુષ્યપર્યાય નાશ પામેલો એવો જીવ તે દેવ અથવા બીજે સ્થળે ઉત્પન્ન થાય છે. બન્ને સ્થળે જીવભાવ ધ્રુવ છે. તે નાશ પામીને કંઈ બીજો થતો નથી. 18 જે જીવ જમ્યો હતો તે જ જીવ નાશ પામ્યો. વસ્તુત્વે તો તે જીવ ઉત્પન્ન થયો નથી, અને નાશ પણ થયો નથી. ઉત્પન્ન અને નાશ દેવત્વ, મનુષ્યત્વનો થાય છે. 19 એમ સતનો વિનાશ, અને અસત જીવની ઉત્પત્તિ થતી નથી. જીવને દેવત્વ, મનુષ્યત્વાદિ પર્યાય ગતિનામકર્મથી હોય છે. 20 જ્ઞાનાવરણીય આદિ કર્મભાવો જીવે સુદ્રઢ(અવગાઢ)પણે બાંધ્યા છે, તેનો અભાવ કરવાથી પૂર્વે નહીં થયેલો એવો તે ‘સિદ્ધ ભગવાન' થાય. 21 એમ ભાવ, અભાવ, ભાવાભાવ અને અભાવભાવથી ગુણપર્યાયસહિત જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે. 22 જીવ, પુદગલસમૂહ, અને આકાશ તેમ જ બીજા અસ્તિકાય કોઈના કરેલા નથી, સ્વરૂપથી જ અસ્તિત્વવાળાં છે; અને લોકના કારણભૂત છે. 23 સભાવ સ્વભાવવાળાં જીવ અને પુગલના પરાવર્તનપણાથી ઓળખાતો એવો નિશ્ચયકાળ કહ્યો છે. 24 તે કાળ પાંચ વર્ણ, પાંચ રસ, બે ગંધ અને આઠ સ્પર્શથી રહિત છે, અગુરુલઘુ છે, અમૂર્ત છે, અને વર્તનાલક્ષણવાળો છે.
SR No.330892
Book TitleVachanamrut 0766
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy