________________ એ જ જૈનધર્મ છે. આ વખતે મારા આનંદનો કશો પાર રહ્યો નહીં. મારું શરીર જ જાણે આખું હર્ષનું બંધાયું હોય તેવું થઈ ગયું, અને તરત જ તે દયા લાવનાર નાગદેવને હું પ્રણામ કરી અને તલવાર મ્યાન કરી બીજે રસ્તે થઈ આપના પવિત્ર દર્શન કરવા માટે આ તરફ વળ્યો. હવે મને તે ધર્મની ખરી સૂક્ષ્મતાનો બોધ કરો. એક નવકાર મંત્રના પ્રતાપથી હં જીવનદાન પામ્યો તો એ આખો ધર્મ પાળતાં શું ન થઈ શકે ? હે ભગવાન ! હવે મને તે નવસરી માળાનો અનુપમ ઉપદેશ બોધો. (શાર્દૂલવિક્રીડિત વૃત્ત) પામ્યા મોદ મુનિ સુણી મન વિષે, વૃત્તાંત રાજા તણો, પાછું નિજ ચરિત્ર તે વરણવ્યું, ઉત્સાહ રાખી ઘણો; થાશે ત્યાં મન ભૂપને દ્રઢ દયા, ને બોધ જારી થશે, ત્રીજો ખંડ ખચીત માન સુખદા, આ મોક્ષમાળા વિષે. (અપૂર્ણ)