________________ ભોગવવાં પડે છે. આવાં વિમળ વચનો ભગવાન શ્રી વર્ધમાને કહ્યાં છે. અને તે વર્ણનને આકારે પાછાં દ્રષ્ટાંતથી મજબૂત કર્યા છે. ઋષભદેવજી ભગવાનને ભરતેશ્વરે પૂછ્યું કે હે ભગવાન ! હવે આપણા વંશમાં કોઈ તીર્થકર થશે ? ત્યારે આદિ તીર્થકર ભગવાને કહ્યું કે હા, આ બહાર બેઠેલા ત્રિદંડી ચોવીસમા તીર્થંકર વર્તમાન ચોવીસીમાં થશે. આ સાંભળી ભરતેશ્વરજી આનંદ પામ્યા. અને ત્યાંથી વિનયયુક્ત અભિવંદન કરીને ઊડ્યા. બહાર આવીને ત્રિદંડીને વંદન કર્યું ત્યારે સૂચવ્યું કે હમણાંનું તારું પરાક્રમ જોઈને હું કંઈ વંદન કરતો નથી, પરંતુ તું વર્તમાન ચોવીસીમાં છેલ્લો તીર્થકર ભગવાન વર્ધમાનને નામે થવાનો છે તે પરાક્રમને લીધે વંદન કરું છું. આ સાંભળી ત્રિદંડીજીનું મન પ્રફુલ્લિત થયું. અને અહંપદ આવી ગયું કે હું તીર્થકર થાઉં તેમાં શી આશ્ચર્યતા ? મારો દાદો કોણ છે ? આદ્ય તીર્થકર શ્રી ઋષભદેવજી. મારો પિતા કોણ છે ? છ ખંડના રાજાધિરાજ ચક્રવર્તી ભરતેશ્વર. મારું કુળ કયું છે ? ઇસ્વાકુ. ત્યારે હું તીર્થકર થાઉં એમાં શું ? આમ અભિમાનના આવેશમાં હસ્યા, રમ્યા અને કૂદકા માર્યા, જેથી સત્તાવીશ શ્રેષ્ઠ, નષ્ટ ભવ બાંધ્યા. અને એ ભવ ભોગવ્યા પછી વર્તમાન ચોવીસીના છેલ્લા તીર્થકર ભગવાન મહાવીર સ્વામી થયા. જો એમણે કીતિ કે સ્વાર્થ ખાતર ધર્મ પ્રવર્તાવ્યો હોત તો એ વાત તે પ્રગટ પણ કરત ? પરંતુ એનો સ્વાર્થ વગરનો ધર્મ તેથી ખરું કહેતાં કેમ અટકે ? જો ભાઈ! મને પણ કર્મ મૂકતાં નથી. તો તમને કેમ મૂકશે ? માટે કર્મવાળો આ પણ તેનો સિદ્ધાંત ખરો છે. જો એમનો સ્વાર્થી અને કીતિને બહાને ભુલાવવાનો ધર્મ હોત તો એ વાત એ પ્રદર્શિત પણ કરત ? જેનો સ્વાર્થ હોય તે તો આવી વાત કેવળ ભોંયમાં જ ભંડારે. અને દેખાડે છે, નહીં, નહીં મને કર્મ નડતાં નથી. હું સઘળાનો જેમ ચાહું તેમ કરી શકી તારણહાર છું. આવો ભપકો ભભકાવત. પરંતુ ભગવાન વર્ધમાન જેવા નિઃસ્વાર્થી અને સત્યાળુને પોતાની જૂઠી પ્રશંસા કહેવા-કરવાનું છાજે જ કેમ ? એવા નિર્વિકારી પરમાત્મા તે જ ખરું બોધે. માટે આ પણ એનો સિદ્ધાંત કોઈ પણ પ્રકારે શંકા કરવા યોગ્ય નથી. 9. સમ્યગદ્રષ્ટિનોઃસમ્યદ્રષ્ટિ એટલે ભલી દ્રષ્ટિ. અપક્ષપાતે સારાસારે વિચારવું. તેનું નામ વિવેકદ્રષ્ટિ અને વિવેકદ્રષ્ટિ એટલે સમ્યુઝષ્ટિ. આ એમનું બોલવું તાદ્રશ ખરું જ છે. વિવેકદ્રષ્ટિ વિના ખરું ક્યાંથી સૂઝે ? અને ખરું સૂઝયા વિના ખરું ગ્રહણ પણ ક્યાંથી થાય ? માટે સઘળા પ્રકારે સમ્યગદ્રષ્ટિનો ઉપયોગ કરવો જોઈએ. આ પણ એનું સૂચવન શું ઓછું શ્રેયસ્કર છે ? અહિંસા સહિત આ નવે સિદ્ધાંત હે પાપી આત્મા ! ઘણે સ્થળે જૈન મુનીશ્વરોને ઉપદેશતાં તેં સાંભળ્યા હતા, પરંતુ તે વખતે તને ક્યાં ભલી દ્રષ્ટિ જ હતી ? એ એના નવે સિદ્ધાંતો કેવા નિર્મળ છે? એમાં તલભાર વધારો કે જવભાર ઘટાડો નથી. કિંચિત એના ધર્મમાં મીનમેખ નથી. એમાં જેટલું કહ્યું છે તેટલું ખરું જ છે. મન વચન અને કાયાનું દમન કરી આત્માની શાંતિ ઇચ્છો. એ જ એનું સ્થળે સ્થળે બોધવું છે. એના પ્રત્યેક સિદ્ધાંતો સૃષ્ટિનિયમને સ્વાભાવિક રીતે અનુસરતા છે. એણે શિયળ સંબંધી જે ઉપદેશ આપ્યો છે, તે કેવો અસરબંધ છે? એક પત્નીવ્રત પુરુષોએ, અને એક પતિવ્રત સ્ત્રીઓએ તો (સંસાર ન તજી શકાય, અને કામ દહન ન થઈ શકે તો) પાળવું જ. આમાં ઉભયપક્ષે કેટલું ફળ છે ! એક તો મુક્તિમાર્ગ અને બીજો સંસારમાર્ગ,