SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ માનતો હતો કે છે જ નહીં. પરંતુ જોઈ લે, અત્યારે આ શું ? એમ હું પશ્ચાત્તાપમાં પડી ગયો. અરે ! હાય ! હું હવે નહીં જ બચું ? એ વિટંબના મને થઈ પડી. આ વખતે મારા પાપી અંતઃકરણમાં એમ આવ્યું કે જો અત્યારે મને કોઈક આવીને એકદમ બચાવે તો કેવું માંગલિક થાય ! એ પ્રાણદાતા અબઘડી જે માગે તે આપવા હું બંધાઉં. મારું આખા માળવા દેશનું રાજ્ય તે માગે તો આપતાં ઢીલ ન કરું. અને એટલું બધુંયે આપતાં એ માગે તો મારી એક હજાર નવયૌવન રાણીઓ આપી દઉં. એ માગે તો મારી અઢળક રાજ્યલક્ષ્મી એના પદકમળમાં ધરું. અને એટલું બધુંયે આપતાં છતાં જો એ કહેતો હોય તો હું એનો જિંદગીપર્યંત કિંકરનો કિંકર થઈને રહું. પરંતુ મને આ વખતે કોણ જીવનદાન આપે ? આવા આવા તરંગમાં ઝોકાં ખાતો ખાતો હું તમારા પવિત્ર જૈનધર્મમાં ઊતરી પડ્યો. એના કથનનું મને આ વખતે ભાન થયું. એના પવિત્ર સિદ્ધાંતો આ વખતે મારા અંતઃકરણમાં અસરકારક રીતે ઊતરી ગયા. અને તેણે તેનું ખરેખરું મનન કરવા માંડ્યું, કે જેથી આ આપની સમક્ષ આવવાને આ પાપી પ્રાણી પામ્યો. 1 અભયદાનઃ - એ સર્વોત્કૃષ્ટ દાન છે. એના જેવું એક્કે દાન નથી. આ સિદ્ધાંત પ્રથમ મારા અંતઃકરણે મનન કરવા માંડ્યો. અહો ! આ એનો સિદ્ધાંત કેવો નિર્મળ અને પવિત્ર છે ! કોઈ પણ પ્રાણીભૂતને પીડવામાં મહાપાપ છે. એ વાત મને હાડોહાડ ઊતરી ગઇ-ગઇ તે પાછી હજાર જન્માંતરે પણ ન ચસકે તેવી ! આમ વિચાર પણ આવ્યો કે કદાપિ પુનર્જન્મ નહીં હોય એમ ઘડીભર માનીએ તોપણ કરેલી હિંસાનું કિંચિત ફળ પણ આ જન્મમાં મળે છે. ખરું જ. નહીં તો આવી તારી વિપરીત દશા ક્યાંથી હોત ? તને હમેશાં શિકારનો પાપી શોખ લાગ્યો હતો, અને એ જ માટે થઈને તે આજે ચાહી ચાહીને દયાળુઓનાં દિલ દુભાવવાને આ તદબીર કરી હતી. તો હવે આ તેનું ફળ તને મળ્યું. તું હવે કેવળ પાપી મોતના પંજામાં પડ્યો. તારામાં કેવળ હિંસામતિ ન હોત તો આવો વખત તને મળત કેમ ? ન જ મળત. કેવળ આ તારી નીચ મનોવૃત્તિનું ફળ છે. હે પાપી આત્મા ! હવે તું અહીંથી એટલે આ દેહથી મુક્ત થઈ ગમે ત્યાં જા, તોપણ એ દયાને જ પાળજે. હવે તારે અને આ કાયાને જુદા પડવામાં શું ઢીલ રહી છે? માટે એ સત્ય, પવિત્ર અને અહિંસાયુક્ત જૈનધર્મના જેટલા સિદ્ધાંતો તારાથી મનન થઈ શકે તેટલા કર અને તારા જીવની શાંતિ ઇચ્છ. એના સઘળા સિદ્ધાંતો જ્ઞાનદ્રષ્ટિએ અવલોકતાં અને સૂક્ષ્મ બુદ્ધિએ વિચારતાં ખરા જ છે. જેમ અભયદાન સંબંધીનો તેનો અનુપમ સિદ્ધાંત આ વખતે તને તારા આ અનુભવથી ખરો લાગ્યો તેમ તેના બીજા સિદ્ધાંતો પણ સૂક્ષ્મતાથી મનન કરતાં ખરા જ લાગશે. એમાં કાંઈ ન્યૂનાધિક નથી જ. સઘળા ધર્મમાં દયા સંબંધી થોડો થોડો બોધ છે ખરોપરંતુ એમાં તો જૈન તે જૈન જ છે. હરકોઈ પ્રકારે પણ ઝીણામાં ઝીણા જંતુઓનો બચાવ કરવો, તેને કોઈ પણ પ્રકારે દુઃખ ન આપવું એવા જૈનના પ્રબળ અને પવિત્ર સિદ્ધાંતોથી બીજો કયો ધર્મ વધારે સાચો હતો ! તેં એક પછી એક એમ અનેક ધર્મો લીધા મૂકયા, પરંતુ તારે હાથ જૈનધર્મ આવ્યો જ નહીં. રે! ક્યાંથી આવે ? તારા અઢળક પૂણ્યના ઉદય સિવાય કયાંથી આવે ? એ ધર્મ તો ગંદો છે. નહીં નહીં મ્લેચ્છ જેવો છે. એ ધર્મને તે કોણ
SR No.330013
Book TitleVachanamrut 0011 Muni Samagam
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy