________________
તેઓએ ખંડનમંડનના કેટલાક ગ્રંથો રચી તે-તે મતોનું નિરસન કરેલું. તેઓ અજોડ શાસનરાગી હતા. તેઓએ કલ્પસૂત્ર પર ‘કલ્પ કિરણાવલિ નામે ટીકા રચેલી. તે ઉપરાંત, સંવત ૧૬૩૯માં જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ ટીકા રચેલી.
(૫૫) મહોપાધ્યાય વિનયવિજયજી ગણિ- સત્તરમી સદીમાં થયેલા આ વિદ્વાન શ્રમણે અનેક ગ્રંથોની રચના કરેલી. તેમાં સંવત ૧૬૯૬માં કલ્પસૂત્રની સુબોધિકા ટીકાની રચના કરી.
(૫૬) ઉપાધ્યાય શ્રુતસાગરગણિ- મહોપાધ્યાય ધર્મસાગર ગણિના શિષ્ય હતા. તેમણે સંવત ૧૬૮૩માં ચઉશરણપયન્નાની ટીકા રચેલી.
====================================
આગમના ઉક્ત પ્રખર વ્યાખ્યાતા સિવાય પણ કેટલાંક નામો પ્રવચન કિરણાવલિમાં જોવા મળેલ છે. પણ તે સિવાયની વિશેષ માહિતી અમે મેળવી શક્યા નથી, તે આ પ્રમાણે છે – * જિનહિંસસૂરિ રચિત આચારાંગસૂત્ર-દીપિકા' ** અજિતદેવસૂરિ રચિત આચારાંગસૂત્ર-દીપિકા' ** લક્ષ્મીકલ્લોલસાધુ રચિત આચારાંગ અવચૂરિ, ** સૂત્રકૃતાંગ' પર હર્ષકુલગણિ' તથા ઉપાધ્યાય સાધુરંગની રચેલ દીપિકા, ** “ઠાણાંગસૂત્ર પર નગષિગણિની રચિત દીપિકા તથા હર્ષનંદ અને સુમતિ કલ્લોલ રચિત ટીકાઓ.
“આગમના પ્રખર વ્યાખ્યાતાઓ”
[27]
મુનિ દીપરત્નસાગર