________________
ટીકાની રચના કરી. આ ઉપરાંત, તેઓએ કર્યસ્તવ વિવરણ અને સિદ્ધાંત સારોદ્ધાર આદિ ગ્રંથ પણ રચેલા હતા.
(૩૫) આચાર્ય જિનહંસસૂરિ – સોળમી સદીમાં થયેલા આ ખરતરગચ્છીય આચાર્યએ સંવત ૧૫૮૨માં આચારાંગ-સૂત્રની દીપિકા રચ્યાનો ઉલ્લેખ મળે છે.
| (૩૬) સાધુરંગ ગણિ- ખરતરગચ્છીય આચાર્ય જિનદેવની પરંપરામાં થયેલા ઉપાધ્યાય સાધુરંગ ગણિએ સંવત ૧૫૯૯માં સૂયગડાંગ સૂત્રની દીપિકા બનાવી.
(૩૭) આચાર્ય તિલકપ્રભ- આચાર્ય ચક્રેશ્વરસૂરિજીની પાટપરંપરામાં ૪૪મી પાટે આચાર્ય તિલકપ્રભ થયા, જેઓએ તેરમી સદીમાં અનેક સાહિત્યનું સર્જન કર્યું.
જેમાં ચૈત્યવંદન-ગુરૂવંદન-પ્રત્યાખ્યાનની લઘુવૃત્તિ તથા શ્રાવકપ્રતિક્રમણસૂત્રવૃત્તિની રચના કરી. તથા આગમ વ્યાખ્યારૂપે જિતકલ્પવૃત્તિ, દશવૈકાલિકસૂત્ર-વૃત્તિ', આવશ્યક-લઘુવૃત્તિ', તેમજ પાક્ષિકસૂત્ર-અવચૂરિ, પાક્ષિક-ખામણા-અવચૂરિ આદિ રચના કરી
(૩૮) જયકીર્તિસૂરિ- અંચલગચ્છીય આચાર્ય મેરૂતુંગસૂરિના હસ્તદીક્ષિત એવા આ આચાર્ય પંદરમી સદીમાં થયા.
તેમણે ઉત્તરાધ્યયનસૂત્રની ટીકા રચ્યાનો ઉલ્લેખ જૈન પરંપરાના ઈતિહાસમાં મળે છે, પરંતુ હાલ આ ટીકા ઉપલબ્ધ હોવાનું અમારી જાણમાં નથી.
“આગમના પ્રખર વ્યાખ્યાતાઓ”
[22]
મુનિ દીપરત્નસાગર