SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીદશવૈકાલિસૂત્રવૃત્તિ અને દિફ્નાગ લેખક—પૂજ્ય મુનિરાજ શ્રીજ‘ભૂવિજયજી આચાર્ય ભગવાન શ્રીમાન સિદ્ધસેન દિવાકર જેમ જૈનદર્શનમાં અત્યારે પ્રસિદ્ધ જૈન ન્યાયના પિતા અને આદ્યપુરુષ તરીકે ગણાય છે, તે જ પ્રમાણે બૌદ્ઘન્યાયના પિતા ( Father of the Buddhist logic ) તરીકે બૌદ્ધદર્શનમાં બૌદાચાર્ય દિનાગને ગણવામાં આવે છે. સામાન્ય રીતે ઐતિહાસિકેાની સંભાવના પ્રમાણે, દિનાગના સમય વિક્રમની ચોથી શતાબ્દીમાં માનવામાં આવે છે. દિનાગનુ બૌદ્ધદર્શનમાં એટલું બધું મહત્ત્વનું સ્થાન છે કે દાગ પછી થયેલા તમામ બૌદ્ધદાનિકે સાક્ષાત અથવા પરપરાએ નિ નાગને જ અનુસર્યાં છે. આખી બૌદ્ઘન્યાયની ઉભારણી દિાગે નિરૂપેલા અને નક્કી કરેલા સિદ્ધાંતાના પાયા ઉપર જ કરવામાં આવેલી છે. આથી જ દિફ્નાગ પછી થયેલા લગભગ તમામ બૌદ્વેતર દાનિકાએ પાત-પોતાના ગ્રંથામાં દિનાગની જોરદાર સમાલાચના કરી છે, અને પેાતાના મંતવ્યનું સમ་ન કરવા માટે અથવા તે નિાગનાં મંતવ્યેાનુ ખડન કરવા માટે તેમણે અનેક સ્થળેાએ નિાગના ગ્રંથામાંથી વાકયો અથવા શ્લોકા લઈ તે પેાંત–પેાતાના ગ્રંથામાં ઉષ્કૃત કર્યાં છે. આ ક્રમ લગભગ ત્રણસે વર્ષ સુધી તેા જોરદાર ચાલ્યેા. ત્યાર પછી બૌદ્ધ પરંપરામાં ધર્મી નામે મહાન વાદી ઉત્પન્ન થયા. તેણે દ્વિનાગના ગ્રંથ પ્રમાણસમુચ્ચય ઉપર પ્રમાણવાતિક નામની મેટી ટીકા રચીને દફ્નાગના સિદ્ધાંતાને ઘણા વેગ આપ્યા. ત્યાર પછીથી બૌદ્ધંતર દાનિકા પણુ ધર્મ કીતિનું ખંડન કરવા પાછળ પ્રવૃત્ત થવા લાગ્યા. તે પહેલાં બૌદ્ધન્યાય સંબધી લગભગ બધું ખંડન-મંડન દિનાગના વાકયાને લઇ તે જ કરવામાં આવતું હતું. એક સમય તા એવા હતા કે દાર્શનિક ક્ષેત્રમાં નિાગ એક બલવત્તર પ્રતિસ્પર્ધી તરીકે ગણાતા હતા. આથી જ ન્યાયક્રેઈનના વાત્સ્યાયનપ્રણીત ન્યાયભાષ્ય ઉપરની ન્યાયવાતિક નામની પ્રસિદ્ધ ટીકાના રચિયતા ઉદ્યોતકરે લગભગ તમામ શક્તિ નિાગના ખડન પાછળ લગાવી છે. એમ કહેવાય છે કે, તેણે ન્યાયાર્તિકની રચના દફ્નાગનું ખંડન કરવા માટે જ મુખ્યતયા કરી હતી. આ ન્યાયાતિ કનું ધમકીતિએ જોરદાર ખડન કર્યું હતું તેથી ધ કીર્તિ એ ઉદ્ભાવેલા ઢાષાના નિરાસ કરીને ન્યાયવાતિ કનેા ઉદ્ઘાર કરવા માટે સતન્ત્ર-સ્વતંત્ર વાચસ્પતિમિત્ર તેના ઉપર ન્યાયાતિકતાપ ટીકા નામની વૃત્તિ રચી હતી જે સુપ્રસિદ્ધ છે. જિનશાસનપ્રભાવક આચાર્ય ભગવાન શ્રીમઙ્ગાદી ક્ષમાશ્રમણે રચેલા નયચક્રના (એક ષષ્પાંશ) ? ભાગમાં પણ નિાગનું જ ખંડન ભરેલું છે. આથી દિનાગનું અને તેના ગ્રંથાનુ` બૌદ્ધદર્શીન સાહિત્યના ઇતિહાસમાં ઘણું મહત્ત્વનું સ્થાન છે. દિનાગ પ્રસિદ્ધ બૌદ્વાયા વસુબના શિષ્ય હતા. ખરી રીતે બદનાગ તેનું નામ નથી પણ વિશેષણ છે. પરવાદીઓને પરાજય કરવામાં દિગ્ગજ જેવા સમ હોવાથી તેને ‘દિનાગ ' એવું વિશેષણ આપવામાં આવ્યું હતું અને પાછળથી તે નામથી "
SR No.249686
Book TitleDashvaikalik Sutra Vrutti Ane Dinag
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherJambuvijay
Publication Year
Total Pages6
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size550 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy