SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૫ અંક : ૪ ] શ્રીદશવૈકાલિક............દિનાગ જ મુખ્યતવે તેની પ્રસિદ્ધિ થઈ છે. બાકી વસ્તુતઃ તો તેનું નામ વિત્ત અથવા સૂત્ત હતું. ભૂતકાળમાં સર્વિસ (ચક્ષત્ત), મૂરિ (મૂતત્ત) વગેરે ઘણાં નામે પ્રચારમાં હતાં. તેવા પ્રકારનું આ તેનું ફિશ નામ હતું. સંસ્કૃતમાં વત્ત નામ હતું અને પ્રાકૃત ભાષામાં તેનું હિન રૂપાંતર હતું. આ હકીકત અનેક પ્રમાણેથી સિદ્ધ થાય છે. નયચકવૃત્તિ, અનેકાનજયપતાકા વગેરે અનેક જૈન ગ્રંથોમાં તેનો વિજ નામથી ઉલ્લેખ કરવામાં આવ્યું છે. આ વિજ શબ્દનું સંસ્કૃત ભાષામાં વત્ત એવું રૂપાંતર કરીને તવાર્થસૂત્રની વૃત્તિમાં આચાર્યપ્રવર ગંધહસ્તી શ્રી સિદ્ધસેનગણુએ તથા વાત્તવામિક્ષરેવ એ પ્રમાણે તેને રત્ત એવા નામથી ઉલ્લેખ કર્યો છે. આ જ હકીક્ત, એક બીજા પ્રમાણુથી પણ સિદ્ધ થાય છે. સાતમી શતાબ્દીમાં ભારતવર્ષનું પર્યટન કરનારા ચીની પ્રવાસી હ્યુનત્સાંગ તથા ઈસિંગે પિતાના પ્રવાસ વૃત્તાંતમાં દિક્નાગને જ નામથી ઉલ્લેખ કર્યો છે. તેમજ બીજા પણ અનેક ચીની ભાષાના ગ્રંથોમાં દિદ્ભાગને જ નામથી ઉલ્લેખ છે. શરૂઆતમાં ઘણું પાશ્ચાત્ય વિદ્વાને આ ચેન્ન શબ્દ મૂળ સંસ્કૃત વિન શબ્દને ચીની ભાષામાં બરાબર ઉચ્ચાર કરતાં ન આવડવાથી થયેલે અપભ્રંશ છે, એમ માનતા હતા પરંતુ હ્યુનત્સાંગના ચીની વૃત્તાંતના ઈંગ્લીશ ભાષાંતરમાં વેટર્સ (Watters) બિલકુલ સ્પષ્ટ કર્યું છે કે બિન શબ્દને અપભ્રંશ જ નથી જ. કારણું કે ચીની ગ્રંથની અંદર જ રોજ શબ્દ ઉપર ટિપ્પણ કરતાં જણાવ્યું છે કે જે શબ્દનો અર્થ “આપેલ' (Giveneત્ત) એ થાય છે. આ બરાબર આપણા હિન અને રત્તનો અર્થ પણ “આપેલ” એવા જ થાય છે. એટલે ચીની ગ્રંથમાં આવતો ચેજ શબ્દ જૈન ગ્રંથમાં આવતા હિર અને રુત્ત શબ્દ એ બધા જ દિનાગનાં અલ નામે છે અને “દિનાગા” એ તેનું વિશેષણ છે. ઐતિહાસિક સંશોધનની દષ્ટિએ વિચાર કરીએ તે મારે એમ કહેવું જોઈએ કે દિનાગનું મૂળ તિજ નામ સાચવી રાખવાને યશ જૈનગ્રંથને જ ફાળે જાય છે. કારણ કે જેનેતર ગ્રંથમાં કોઈ પણ સ્થળે ફિશ નામ જોવામાં આવતું નથી. એટલું જ નહિ, પણ ખુદ બૌદ્ધદર્શનના ગ્રંથમાં પણ ટ્રિબ નામ જાળવી રાખવામાં આવ્યું દેખાતું નથી. એ બધા ગ્રંથમાં દિનાગ નામ જ જોવામાં આવે છે. દિદ્ભાગે પ્રમાણપુરા (સંપન્ન વૃત્તિ સહિત), ચારણ, ચાયવેશ, ગાવનારી (પણ વૃત્તિ સહિત), ત્રિસ્ટ રક્ષા તથા “તુમ વગેરે ન્યાયગ્રંથની રચના કરી છે. તેમાં પ્રમાણસમય સૌથી મોટો અને તેને સૌથી વધારે મહત્તવને (Masterpiece) ગ્રંથ 1. Get On Yuan-Chawang's Travels in India (By WATTERS) Vol. II, p. 210 ૨. આ ગ્રંથ સંસ્કૃતમાં નષ્ટ થઈ ગયો છે. તેને ટિબેટન ભાષામાં અનુવાદ મળતું નથી. પરંતુ તેને ચીની ભાષામાં અનુવાદ મળે છે. તેના ઉપરથી રેમ(ઇટાલી)ના પ્રોફેસર Giuseppe tucci એ ઈંગ્લીશ ભાષામાં અનુવાદ કરીને જર્મનીની HELDELBERTની યુનિવર્સીટીના JARBUCH des instituts flir Buddhismvs-Rande Vol. J. માં પ્રકાશિત કર્યો છે. ૩. સંસ્કૃતમાં નષ્ટ થઈ ગયેલા આ ગ્રંથને ટિબેટન તથા ચીની ભાષાંતર ઉપરથી સંસ્કૃતમાં અનુવાદ કરીને અવ્યાસ્વામી શાસ્ત્રીએ મદ્રાસની આથર લાયબ્રેરી તરફથી પ્રગટ કર્યો છે. ઇ. સંસ્કૃતમાં નષ્ટ થઈ ગયેલા એ ગ્રથના ટિબેટન અનુવાદ ઉપરથી દુર્ગાચરણ ચટ્ટોપાધ્યાયે સંસ્કૃતમાં અનુવાદ કર્યો છે, અને તે કલકત્તાના Indian Historical Quarterly નામના વૈમાસિકમાં Vod, IX pp. 262–272 તથા 511-51માં છપાયો છે. તેનું નામ “હેતુચક્રનિર્ણય' રાખવામાં આવ્યું છે,
SR No.249686
Book TitleDashvaikalik Sutra Vrutti Ane Dinag
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherJambuvijay
Publication Year
Total Pages6
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size550 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy