________________
વૈરાટને લેખ. ન. ૨૭૮ ] (૨૬૯)
વરાટ નગરને શિલા લેખ.
રાજપૂતાનાના જયપુર રાજ્યમાં એક વૈરાટ યા ખૈરાટ નામનુ ગામ આવેલું છે. શ્રીયુત ડી. આર. ભાંડારકરી પેાતાના એક ત્ર રીપેાટૅમાં આ સ્થાન સબધી સક્ષિપ્ત ઇતિહાસ આપતાં જણાવે છે કે
અવલાકન.
મત્સ્ય દેશના રાજાનું વિશદ્રનગર, જેમાં પાંચ પાંડવા ગુપ્ત વેશમાં રહ્યા હતા, તે અને આ ખૈરાટ બને એકજ છે . એમ સામાન્યરીતે માનવામાં આવે છે. દક્ષિણ ભારતમાં પણ આ નામના બે સ્થળા આવેલાં છે જેમાં એક તે ધારવાડ પ્રાંતમાંનું હાંગલ નામનું ગામ છે કે જેને કાદ બવશના લેખમાં વિરાટ નગર લખેલું છે. બીન્તુ કાઠિયાવાડની નજીકમાં આવેલુ અમદામાદ છઠ્ઠાનુ ધોળકા ગામ છે. આ ધોળકા તથા વિજય નામના ગુહિલેાત રાજાએ મૂળ વિરાટ નામના ગામને વિજયપુર નામ આપીને નવુ. અધાવેલુ. તે ગામ, એ બે એકજ છે. અને આ કારણને લઇને નિગહામ જે બેરાટ અને વિજયપુરને એકજ માને છે તે ભૂલ છે. પર'તુ આટલુ તા નક્કી જ છે કે મહાભારતનું વિરાટનગર અને આ પ્રસ્તુત બેરાટ અને એકજ છે. કારણ કે વિરાટ ' નામને એ · બેરાટ ’ શબ્દ સૂચવે છે, નહિ કે હાંગલ અને ધોળકા શબ્દો. બૈરાટની આનુબાજુના પ્રદેશને હજી પણ લેાકેા મત્સ્યદેશ કહે છે. વિશેષમાં, પાંડવાના રહે ાસથી પવિત્ર થએલી જગ્યાએ, કે જેમનાં વર્ણના મહાભારતના વિરાટ પ માં આપેલાં છે, તેમને હજી પણ અહિના લાકા બતાવ્યાં કરે છે. ઉદાહરણ તરીકેઃ—જેમાં ભીમ રહેતા હતા તે ‘ભીમકી ડુ’ગરી,’ કીચકના મહેલની ટેકરી, અર્જુને માણ મારીને પાતાળમાંથી કાઢેલી ખણુગંગા, કૈરવેાનાં પગલાં તથા તેમણે ચારેલા ઢારાનાં પગલાં ઇત્યાદિ. આ રીતે જોતાં બૈરાટજ વિરાટનગરની સાથે સબધ ધરાવે છે. તેમજ ખૈરાટમાંથી ઘણી પુરાણી વસ્તુએ પણ નિકળતી જોવામાં આવે છે.
'
,
'
,
૪ આર્કિઓ લાજીકલ સવ્હે, વેસ્ટન સ`ત્ર; પ્રેગ્રેસ રીપે, ૧૯૧૦.
Jain Education International
૬૭૯
For Private & Personal Use Only
www.jainelibrary.org