SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ રતનપુરને લેખ. નં. ૩૪૫] (૨૩૩) અવલોકન. કરી , પ્રાણિક કયફળ વદિ ૧૩ માલિક પૂનપાક્ષદેવની મહારાણી શ્રી ગિરિજાદેવિએ સંસારની અ. સારતાને વિચાર કરી, પ્રાણિઓને અભયદાન (જીવિતદાન) આપવું એ મહાદાન છે એમ સમજી, નગરનિવાસી સમસ્ત બ્રાહ્મણો, આચાર્યો (પૂજારીઓ?) મહાજને, તંબેલિઓ વિગેરે પ્રજાજનેને બોલાવી તેમની સમક્ષ આ પ્રકારે શાસન (ફરમાન) પત્ર કર્યું કે, (આજ) અમાવસ્યાના પર્વ દિવસે, સ્નાન કરી, દેવતા અને પિતાને તર્પણ આપી તથા નગર દેવતાને (પૂજાદિ વડે) પ્રસન્ન કરી, આ જન્મ તેમજ પરજમમાં પુણ્યફળ પ્રાપ્ત કરવા તથા યશ વધારવાની અભિલાષાથી, પ્રાણિઓને અભયદાન દેવા માટે આ શાસન પ્રકટ કર્યું છે કે દરેક માસની એકાદશી, ચતુર્દશી અને અમાવસ્યાકૃષ્ણ અને શુક્લ પક્ષ એમ બંને પક્ષની આ તિથિના દિવસે કેઈએ, કોઈ પણ પ્રકારની જીવહિંસા, અમારી જમીન-સીમામાં ન કરવી અમારી સંતતિમાં થનાર દરેક મનુષ્ય તથા અમારા પ્રધાન, સેનાના અમલદાર, પુરોહિત અને સઘળા જાગીરદારેએ, આ આજ્ઞા નું પાલન કરવું–કરાવવું. જે કઈ આને ભંગ કરે તેને દંડ કરવો. અમાવસ્યાના દિવસે ગામના કુંભાએ પિતાના વાસણે પકાવવા માટે પણ નિભાડો સળગાવે નહિં. જો કોઈ મનુષ્ય આ દિવસમાં બેદરકાર થઈ જીવહિંસા કરશે તે તેને ૪ શ્રમને દંડ થશે નાડેલ શહેરના રહેવાસી પોરવાડ જાતિના શુભંકર નામના ધામિક સુશ્રાવકના પ્રતિગ અને સાલિગ નામના બે પુત્રએ જીદયાતત્પર થઈ પ્રાણિઓના હિતાર્થે (અમને) વિનંતિ કરીને આ શાસન પ્રકટ કરાવ્યું છે. છેલ્લી પંક્તિમાં, કટારનું ચિત્ર આપી, પૂનાક્ષદેવની સહિ (હસ્તાક્ષર) કરવામાં આવી છે. તથા પરિ૦ (પારિખ પરીક્ષક) લક્ષમીધરના પુત્ર 8 (ઠકકુર) જસપાલે પ્રમાણ કર્યું છે, એમ જણાવ્યું છે. (૩૪૬) આ લેખ, એપિંગ્રાફિ ઇનિડકાના ૧૧ મા ભાગમાં પ્રસિદ્ધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249653
Book TitleNadlai Gamna Lekho
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherZ_Prachin_Jain_Lekh_Sangraha_Part_02_005113_HR.pdf
Publication Year
Total Pages25
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy