________________
નાડલાઈ ગામના લેખે. ગેડવાડ પ્રાંતમાં આવેલા દેસુરી જીલ્લાના મુખ્ય શહેર દેસુરીથી વાયવ્ય કોણમાં ૮ માઈલ દૂર નાડલાઈ નામનું એક સાધારણ ગામ આવેલું છે. એ સ્થાન ગેડવાડ પ્રાંતના પાંચ મુખ્ય જૈન તીર્થોમાંનું એક છે. સમયસુંદરજી રચિત તીર્થમાળા સ્તવનમાં “શ્રીના લાઈ જાદ” આવા વાક્ય દ્વારા એ તીર્થનું નામ ગણાવ્યું છે. અને ત્યાં “જાદવ” એટલે ૨૨ મા તીર્થંકર નેમિનાથનું ધામ જણાવ્યું છે. આ ગામમાં બધાં મળીને ૧૧ જૈનમંદિર છે. જેમાં ૯ ગામની અંદર છે અને ૨ બે પર્વત ઉપર છે. આ પર્વતને લેકે શત્રુજ્ય અને ગિરનારના નામે ઓળખે છે. પ. શિવવિજય. જીના શિષ્ય શીલવિજયજી સ્વરચિત “તીર્થમાલા” માં આ સ્થળે નવ મંદિર હોવાનું જણાવે છે. જેમ કે –
નડુલાઈ નવ મંદિર સાર શ્રી સુપાસ પ્રભુ નેમકુમાર. જુના લેખમાં આ ગામના નડલડગિકા, નકુલવતી, નડફૂલાઇ,
૬૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org