SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને છે. પણ એવા કાઈ અંશને જો સંપૂર્ણતાનું નામ આપવામાં આવે તા તે ખાટું જ છે. જો આ મુદ્દામાં વાંધેા લેવા જવું ન હોય—હું તેા નથી જ લેતા-તા આપણે નિખાલસ દિલથી કબુલ કરવું જોઈએ કે માત્ર વેદ, માત્ર ઉપનિષદો, માત્ર જૈન આગમા, માત્ર બૌદ્ધ પિટકા, માત્ર અવેસ્તા, માત્ર ખાઈબલ, માત્ર પુરાણ, માત્ર કુંરાન કે માત્ર તે તે સ્મૃતિઓ એ પેાતપેાતાના વિષયપરત્વે એકલાં જ અને સંપૂર્ણ શાસ્ત્ર નથી. પણ એ બધાં જ આધ્યાત્મિક વિષય પરત્વે, ભાતિક વિષય પરત્વે, અગર તેા સામાજિક વિષય પરત્વે એક અખ ત્રૈકાલિક શાસ્ત્રનાં ક્રમિક તેમજ પ્રકાર ભેદવાળાં સત્યના આવિર્ભાવનાં સૂચક અથવા તે અખંડ સત્યની દેશ કાળ, અને પ્રકૃતિ ભેદ પ્રમાણે જુદીજુદી બાજુએ રજુ કરતાં મણકા શાસ્ત્ર છે. આ વાત કાઈ પણ વિષયના ઐતિહાસિક અને તુલનાત્મક અભ્યાસીને સમજવી તદ્દન સહેલા છે. જો આ સમજ આપણા મનમાં ઉતરે–અને ઉતારવાની જરુર તા છે જતા આપણે પેાતાની વાતને વળગી રહેવા છતાં બીજાને અન્યાય કરતા ખચી જઇએ, અને તેમ કરી ખીજાને પણ અન્યાયમાં ઉતરવાની પરિસ્થિતિથી બચાવી લઇએ. પેાતાના માની લીધેલ સત્યને બરાબર વાદાર રહેવા માટે જરુરનું એ છે કે તેની કિમત હાય તેથી વધારે આંટી અંધશ્રા ન ખીલવવી અને આછી આંી નાસ્તિકતા ન દાખવવી. આમ કરવામાં આવે તા જણાયા વિના ન જ રહે કે અમુક વિષય પરત્વેના સત્યશોધકેાનાં ગ્રંથના કાં તે। બધાં જ શાસ્ત્રા છે, કાં તેા બધાં જ અશાસ્ત્ર છે, અને કાં તા એ કાંઇ જ નથી. દેશ, કાળ, અને સંયેાગથી પરિમિત સત્યના આવિર્ભાવની દૃષ્ટિએ એ બધાં જ શાસ્ત્રો છે. સત્યના સંપૂર્ણ અને નિરપેક્ષ આવિર્ભાવની દૃષ્ટિએ એ બધાં જ અશાસ્ત્રા છે, શાસ્રયાગની પાર ગએલ સામર્થ્યયેાગની દૃષ્ટિએ એ બધાં શાસ્ત્ર કે અશાસ્ત્ર કાંઈ નથી. માની લીધેલ સાંપ્રદાયિક શાસ્ત્ર વિષેનું મિથ્યા અભિમાન ગાળવા માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249640
Book TitleShastra Maryada
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherZ_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf
Publication Year
Total Pages19
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size845 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy