SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને શ્રદ્ધા રાખવા છતાં તેમનાથી વેગળા અને વેગળા રહીએ છીએ આપણે પાતે જ ભગવાન છીએ, એનેા અ એટલે જ કે ભગવાનને માનસિક વિટંબણા એમના જીવનનાં તફાના, અને એમનું દિ આસુરી વૃત્તિનું યુદ્ધ, એ જ આપણા જીવનમાં છે. ફેર હોય તાં એટલા જ છે કે આપણે આપણા જીવનગત એ ઉપસગાંને જોત નથી, જોવા ઈચ્છતા નથી, તે માટે પ્રયત્ન કરતા નથી, જ્યા ભગવાને એ બધું કર્યું. અને જે જાણે, ઈચ્છે અને પ્રયત્ન કરે ? વસ્તુને મેળવે તેથી જ ભગવાને જીવન મેળવ્યું અને આપણે ગુમાવ્યું અને હજી ગુમાવતા જઈએ છીએ. મહાવીર કોના પુત્ર હતા, કઇ નાતના હતા, ઉમર શી હતી, તેમના પરિવાર કેટલા હતા, સમૃદ્ધિ શી હતી, ધર, ક્યારે છેડયું, કયાં કયાં ફર્યાં, કાણુ તેમના પરિચયમાં આવ્યું, કેટલા અને કયા કયા દૈવી બનાવા બન્યા, કે કેટલા રાજા ચરણામાં પડયા, કેટલા ચેન્ના અને ચેલીએ થયા, કેટલા ગૃહસ્થાએ તેમના પગ પૂજ્યા, તેમણે શાં શાં કામા કર્યાં, કયાં નિર્વાણ પામ્યા, વગેરે બધું જાણવું ડાય તે જાણવું ખરું પણ સ્મરણમાં રહે કે એ બધી બાબત તે વધારે ચમત્કાર પૂક અને વધારે આકર્ષક રીતે બીજાના જીવનમાંથી પણ સાંભળ્ અને મેળવી શકીએ. ત્યારે આજકાલ વંચાતા મહાવીરજીવનમાંથી શું કાંઈ સાંભળવા જેવું નથી ? એ પ્રશ્ન થશે. ઉત્તર ઉપર દેવાઇ તે ગયા જ છે, છતાં સ્પષ્ટતા ખાતર કહેવું જોઈએ. કૅ મહાવીરનું જીવન સાંભળતી કે વિચારતી વખતે અંતર્મુખ થઈ, એમના જીવનની ઘટના, ખાસ કરી ગૃહસ્થ અને સાધક જીવનની ઘટનાઓ, આપણા જીવનમાં કઈ કઈ રીતે બનૉ રહી છે તે ઉંડાણથી જોયા કરવું. ચમત્કારા, દૈવી ઘટનાએ અને અતિશયાની વાતે પાછળનું યથાર્થ રહસ્ય, આપણા જીવનને સામે રાખી, ભગવાનના જીવનમાં ડાકિયું કરવાથી તરત ધ્યાનમાં આવશે. એ ધ્યાનમાં આવતાં જ ભગવાનની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249635
Book TitleJivan Shuddhi ane Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherZ_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf
Publication Year
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size354 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy