________________ કારમાર્થિક લેખસંગ્રહ [ 25 " वादांश्च प्रतिवादांश्च, वदनोऽनिश्चितांस्तथा / तत्वान्तं नैव गच्छन्ति, तिलपीलकवद् गतौ // " ભાવાર્થ-ઘાંચીના બળદની આંખે પાટા બાંધેલા હોય છે. તે સવારથી ફરવા માંડે છે અને ફરતાં ફરતાં સાંજ પૂરી કરે છે. એટલા લાંબા વખત સુધી ભ્રમણ કરવા છતાં તે બળદ ત્યાં ને ત્યાં જ સ્થિત રહેલ હોય છે. આ પ્રમાણે વિકલ્પ જાળથી ભરેલા વાદ-પ્રતિવાદ કરવા છતાં પણ તેનું ફળ વિકલ્પજાળમાં જ સમાપ્ત થાય છે. હૃદયંગમ તવપ્રકાશ મળી શકતો નથી અર્થાત્ તવપ્રકાશ-તત્ત્વસિદ્ધિ તે ઉપર કથિત “ગ દ્વારા જ પ્રાપ્ત થાય છે. કહેવાનો હેતુ એ છે કે-શાસનની પ્રભાવના માટે, શ્રદ્ધામાં સ્થિર થવા તથા અન્યને કરવા માટે “ધર્મવાદ? યુક્ત છે, સિવાય બીજા વાદે કુતર્ક જનિત-અપ્રશસ્ત હાઈ વ્યર્થ છે. (અધ્યાત્મ તત્ત્વાલકનું અવતરણ વધારા સાથે.) ગૃહસ્થને પ્રથમ સાધ્ય કરવા યોગ્ય ગૃહવાસને જેને ઉદય વર્તે છે, તે જે કાંઈ પણ શુભ ધ્યાનની પ્રાપ્તિ ઈચ્છતા હોય તે તેના મૂળ હેતુભૂત એવા અમુક સર્વર્તનપૂર્વક રહેવું યોગ્ય છે. જે અમુક નિયમમાં “ન્યાયસંપન્ન આજીવિકાદિ વ્યવહાર' તે પહેલો નિયમ સાધ્ય કરવો ઘટે છે. એ નિયમ સાધ્ય થવાથી ઘણા આત્મગુણ પ્રાપ્ત થવાનો અધિકાર ઉત્પન્ન થાય છે. આ પ્રથમ નિયમ ઉપર જે ધ્યાન આપવામાં આવે અને એ નિયમને સિદ્ધ જ કરવામાં આવે, તે કષાયાદિ સ્વભાવથી મંદ પડવા યોગ્ય થાય છે અથવા જ્ઞાનીને માર્ગ આત્મપરિણામી થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org