SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ જેનવિભાગ અસાધારણ શક્તિ હતી. તે કાવ્યકળાને બહુ પ્રશંસક હતા. તેને કવિઓ ઉપર બહુ માન હતું. પિતે કવિઓની કદર પણ સારી રીતે કરી જાણતે. રાજ્ય કવિ હરિહરની ઈર્ષા સોમેશ્વર ઉપર ઝઝુમતી હોવા છતાં જે સેમેશ્વર દરબારમાં સ્થાન પામ્યો હોય તે તે કવિપૂજક વસ્તુપાળના જ રૂડા પ્રતાપ હતા. તેની કવિઓ તરફની દાનવીરતા એટલી બધી પ્રસિદ્ધ હતી કે તે “લધુ ભેજરાજા” નું બીરૂદ પામ્યો હતો. તેનું બીજું નામ વસંતપાળ હતું કે જે નામ સેમેશ્વર અને હરિહરે આપ્યું હતું અને તેથી જ બાલચંદ્ર કવિએ તેની પ્રશંસારૂપે સુંદર કાવ્ય રચ્યું હતું. આવી રીતે જેમ તે કવિ તરીકે પ્રસિદ્ધ હતા તેમ કવિઓના આશ્રયદાતા તરીકે પણ તે પ્રસિદ્ધ હતો. હરિહર, સેમેશ્વર, દામોદર, નાનક, જયદેવ, મદન, વિકળ, અને કૃષ્ણસીંહ આદિ કવિઓનો તે આશ્રયદાતા હતે. આ સિવાય ઘણું કવિઓ અને ભાટ ચારણનો પણ તે આશ્રયદાતા હતા. તેણે તેમાંના ઘણાને ધનવાન બનાવ્યા હતા. તેની આ દાનવીરતાને લીધે જ એક કે બીજે કઈ પ્રસંગ આવી પિતાને આશ્રયદાતાનું નામ અમર રાખતો તેની પ્રશંસારૂપે ઘણાં કાવ્ય રચાયાં છે જેવાં કે સોમેશ્વરની કીર્તિકૌમુદી વગેરે. બીજે છુટા કાવ્યોમાં તથા અરિસિંહનાં સુકૃતસંકીર્તનમાં તેની દાનવીરતા તથા અસાધારણ પ્રરક્રમનું વન આપ્યું છે. એવી જ રીતે હમીરમદમર્દન તથા ઉદયપભકૃત ધર્મા ભુદય આદિ કાવ્યમાં તેના આશ્રિતોએ કાવ્યો રચી પિતાનું ઋણ પતાવવા કાંઇક પ્રયત્ન કર્યો છે આવી રીતે કવિ તરીકે અને તટસ્થ ટીકાકાર તરીકે તથા કવિઓના આશ્રયદાતા તરીકે તેને કીર્તિ કલશ બહુ સારી રીતે શોભી રહ્યા છે. એક રાજ્યમંત્રી તરીકે અહી નિશ કાર્યમાં ગુ થાઈ રહ્યા છતાં તે એક મહા કવિ તરીકે પ્રશંસા મેળવે અને તેમાંય વળી તેના વિરોધીઓ સુદ્ધાંત તેની મહાકવિ તરીકે પ્રશંસા કરે એ એક આશ્ચર્ય તો છે જ. મને તો એમજ લાગે છે કે વસ્તુપાળ અદ્ભુત પ્રતિભાસંપન્ન પુરુષ હોવો જોઈએ. નહિતર દરેક કાર્યોમાં આટલી બધી પ્રશંસા મેળવવી એ અલભ્ય નહી તે મુશ્કેલ તો છેજ હવે આપણે તેની ધર્મી તરીકેની કારકીર્દિ જોઈએ. - ધમી તરીકે ધમી તરીકે તે ચુસ્ત શ્રાવક હતા. તે શ્રાવકનાં બાર વ્રત તથા દરરોજ પ્રતિક્રમણ દેવપૂજા ગુરુપૂજા આદિ કાર્યો નિયમિત કરતો. તે સિવાય તે વખતના પ્રખર ધુરંધર આચાર્યો પાસે પણ તે દરરોજ જતો અને ઉપદેશ સાંભળતો. તેના કુલક્રમાગત ગુરુ શ્રી જયસેનસૂરી તથા તે વખતના સમકાલીન આચાર્યો શ્રી દેવપભસૂરી, શ્રી નરચંદ્રસૂરી આચાર્ય શ્રી દેવેંદ્રસૂરી તથા નાગંજૂરી આદિ આચાર્યો પાસે ઘણી વખત ઉપદેશ સાંભળવા જતો અને તેમના ઉપદેશથી તેણે ઘણું મંદિરના જીર્ણોદ્ધાર કરાયો હતો તથા આબુનાં જગપ્રસિદ્ધ મંદિરોમાં પણ અઢળક દ્રવ્ય વાપર્યું હતું. બીજા પણ ઘણાં નવાં મંદિરો કરાવ્યાં હતાં. તેણે સાડા બાર વાર મોટા સંઘ કાઢી સંધપતિની પદવીયુક્ત યાત્રાઓ કરી હતી. તપસ્યામાં પંચમી તપ, ચતુર્દશી આ તપસ્યા ૧ છલી તેરમી યાત્રા કરવા જતાં રસ્તામાં તે કાળગ્રસ્ત થયો હતો એટલે બાર આખી અને તેરમી અધી એમ થઈ સાડાબાર યાત્રા તેણે કરી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249574
Book TitleJain Mantrio
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherZ_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf
Publication Year
Total Pages11
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size879 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy