SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ. 3. શ્રી યશોવિજયજી | [ ૧૨૯ ] મહાન જ્યોતિર્ધર પૂ. ઉપા. શ્રી યશેવિજયજી વાણી વાચક યશ તણી કે નયે ન અધૂરીજી” આ વાચક યશ તે કોણ? વાચક યશ એટલે મહાન તિર્ધર ઉપાધ્યાય શ્રીમદ્દ યશોવિજ્યજી જેમણે સ્વરચિત “શ્રીપાળ રાસ”ની ઢાળ બારમીમાં, અને તેને અનુસરીને રચેલી નવપદજીની પૂજામાં ઉક્ત ઉલ્લેખ કર્યો છે. આ મહાપુરુષને જન્મ અણહિલ્લપુર પાટણની આસપાસ કહેડા ગામમાં સત્તરમાં સૈકામાં થયે હતો, તેમ અનુમાન કરી શકાય છે. તેઓ જાતે ઓસવાળ હતા. બાલ્યાવસ્થામાં તેમના પિતાશ્રીનું મૃત્યુ થયું હતું. તેમની સ્મરણશકિત બાળપણથી તીવ્ર હતી તેમના માતુશ્રીને દરરોજ ગુરુની પાસે જઈને ઉપાશ્રયમાં “ભક્તામર સ્તોત્ર” સાંભળવાને નિયમ હતો. ચોમાસામાં એક વખતે વરસાદની મેટી હેલી થવાથી તેમ જ પોતાનું શરીર નરમ હોવાથી, માતાજી ગુરુ પાસે જઈ ભક્તામર સ્તોત્ર ” સાંભળી શક્યાં નહીં. એમને નિયમ એવો હતો કે, “ભકતામર સ્તોત્ર” સાંભળ્યા સિવાય બિલકુલ અન્ન લેવું નહીં. ઉપરના કારણથી ત્રણ દિવસના ઉપવાસ થયા. ભાઈ “ જશે” ની ઉંમર તે વખતે પાંચ છ વર્ષની હશે. ચેથા દિવસે જશોએ પિતાની માતાને પૂછયું કે “હે માતુશ્રી ! તમે અન્ન કેમ લેતાં નથી ? ત્યારે માતાએ કહ્યું, હે પુત્ર ! હું “ભક્તામર સ્તોત્ર” સાંભળ્યા સિવાય બિલકુલ ભજન લેતી નથી. જશાએ વિનયથી કહ્યું કે, “તમારી ઈચ્છા હોય તો તમને “ભક્તામર સ્તોત્ર” સંભળાવું. માતા આશ્ચર્ય પામી બેલ્યાં કે તે તને ક્યાંથી આવડે ? પુત્રે કહ્યું: હે માતુશ્રી ! તમે મને તમારી સાથે ઉપાશ્રયમાં ગુરુ પાસે દર્શન કરવા તેડી જતાં હતાં તે વખતે હું પણ “ભક્તામર સ્તોત્ર” સાંભળતું હતું, તે મને યાદ રહી ગયું છે. માતાએ સંભળાવવાનું કહ્યાથી પુત્રે એક પણ ભૂલ સિવાય “ભક્તામર સ્તોત્ર ' સંભળાવ્યું. (તે જ વખતે ગુરુશ્રી નયવિજયજી ત્યાં પધાર્યા હતા)-આ બાલ્ય અવસ્થામાં તેમની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249568
Book TitleMahan Jyotirdhar Upadhyay Yashovijayji
Original Sutra AuthorN/A
AuthorFatehchand Z Shah
PublisherZ_Jain_Darshan_Mimansa_ane_Anya_Lekho_005246_HR.pdf
Publication Year
Total Pages9
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size663 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy