SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ “બ્રાહ્મણ, સ્ત્રી, ગર્ભ તથા ગાય એ ચારના ઘાત કરવાના મહા પાપથી, નરકનો અતિથિ બનનાર લૂંટારા દઢપ્રહારી આદિનું રક્ષણ કરનાર યોગ છે.” યોગની તત્કાલ સફળતા મળે છે. અરે ઘોર-ગાઢ-કારમાં કર્મ બાંધ્યાં હોય તેવા આત્માઓ યોગથી કર્મરોગ મિટાવી શકે છે. કર્મમત બની શકે છે. યોગને પ્રાપ્ત કરવા આટલું કરો - - યોગ એટલે સંયોગ-જોડાણ. એને માટે ચિત્તની વૃત્તિઓના નિરોધની આવશ્યકતા છે. ચોકકસ વસ્તુઓમાંથી મુક્તિ મેળવવાની રહે છે. કંઈ વસ્તુઓમાંથી ? તો કહે છે કે - ખાના, પીના, સોવના, મિલના, વચનવિલાસ - જર્યો કર્યાં પાંચ ઘટાઈએ ત્યોં ત્યોં ધ્યાનપ્રકાશ. આ પાંચ ચીજ ઓછી કરો એટલે અંદરના ધ્યાનનો પ્રકાશ લાધે. સમય મળે ત્યારે એકાંતે ધ્યાન કરો. મૌન કેળવો. વસ્તુને સહજભાવે જોતા શીખો. એને વળગી ન રહો. એને છોડતાં શીખો તો દુ:ખ, દ્વેષ કે ક્રોધ ન થાય. આત્મા નિજાનંદમાં મસ્ત રહે અને આનંદયોગનો યોગ થાય. યોગ એક મંદિર છે તે માટે જરૂરી સામગ્રી ભેગી થાય ત્યારે મનરૂપી મંદિર યોગ માટે તૈયાર થાય, પછી તેમાં આતમ-દેવ પરમાત્મા સ્વરૂપ બિરાજે. પાયા સમ્યક્રશ્રદ્ધા. મુખ્ય દરવાજો તત્ત્વનયી. ચારે તરફની દીવાલ દાન-શીલ-તપ-ભાવ. પ્રવેશદ્વાર મૈથ્યાદિ ચાર ભાવના. કિલ્લો (ગઢ) બ્રહ્મચર્યની નવ વાડ. પગથિયાં 14 ગુણસ્થાનક. નીચેની ભૂમિકા દેશવિરતિ, 140 સ્તંભ ચરણ-કરણસિત્તરી. ત્રણ ગભારા રત્નત્રયી જ્ઞાન-દર્શન-ચારિત્ર. દેવકુલિકા દશ યતિધર્મ. બારશાખ બાર ભાવનાઓ. ઉપરની છત સર્વવિરતિ, ઘુમ્મટ સાત પ્રકારના ચારિત્ર. શિખરો સમતાનાં. કળશ કેવળજ્ઞાન. ધ્વજા ધર્મસન્યાસયોગરૂપ-ધર્મધ્વજા. Lib topic 7.1 # 6 www.jainuniversity.org
SR No.249556
Book TitleJain Yogna Margo
Original Sutra AuthorN/A
AuthorJain University
PublisherJain University
Publication Year
Total Pages6
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size49 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy