________________
છે. અર્થાત સમ્યકત્વ પામીને ઠેઠ શૈલેષી સ્થિતિ પર્યત આત્મસ્વભાવ-ધર્મને અનુસરતી તમામ યોગની સાધના તે સાધકયોગ. તેની પરાકાષ્ઠા તે સિદ્ધિયોગ. સિદ્ધિયોગ :- સર્વ કર્મના ક્ષયથી પ્રગટ થતું
આત્માનું સહજાનંદ સ્વરૂપ એટલે કે પૂર્ણતા. યોગાચકાદિ
(૧) યોગાવંચક:- કદી કોઈને ઠગે નહીં, વાંકો ચૂંકો થાય નહીં. વિસંવાદ કરે નહીં. કદી મુકાવે નહિ એવો અમોઘ યોગ તે યોગાવંચક છે. સુસમાહિત સદગુરુઓની યોગ થયા પછી તે કદાપિ નિષ્ફળ ન જાય તે યોગાવંચક છે.
(૨) કિયાવચક :- ક્રિયા પણ એવી કે કદી વૃથા થાય નહીં, વંચક બને નહીં અવશ્ય ધર્મલાભ અપાવનારી નીવડે. તે માટે સદગુરુની પ્રતિ વંદનાદિ સેવા-ભક્તિ કરવામાં આવે તે ક્રિયાવંચક યોગ. તે સદગુરુની નિર્મળ સેવના, નમસ્કારાદિ ક્રિયા છે.
(૩) ફુલાવંચક - સદગુરુની સેવા, વંદનાદિ ક્રિયાનું ફળ પણ આપણા આત્માને ઠગે નહીં પણ અમોઘ ફળની પ્રાપ્તિ કરાવે તે ફલાવંચક યોગ. તેથી જ –
“સદગુરુ યોગે વંદન ક્રિયા, તેહથી ફળ હોય જે હો રે, યોગક્રિયા ફલભેદથી, ત્રિવિધ અવંચક એહો રે.”
જેવું જેને ગમે ત્યાં એ રમે. એ ન્યાયે સદગુરુના સધોગે સસ્વરૂપ સમજે છે. તેમાં સમણતા કરે છે. આમ યોગના વિકાસક્રમમાં
ધર્મ સાંભળવાની ઈચ્છા, ધર્મ સમજવાની રુચિ, જિજ્ઞાસા, સકલ ધર્મ ગ્રઢતાથી યમાદિ ધર્મની આચરણા, માર્યાભિમુખતામાં પ્રવેશ. સ્વાભાવિક માગનુસારીપણું પામતાં સદગુરુનો સમાગમ – અને તેના આધારે યોગાવંચક ત્રિક યોગની પ્રાપ્તિ સુધી આપણે સમજયા.
યોગ માહાસ્ય ની ચરમસીમા
એટલે
કેવળજ્ઞાન. યોગ-માયાભ્યની ચરમસીમા
યોગ માહાભ્યની ચરમસીમા એ કેળવજ્ઞાન છે. કેવળજ્ઞાન પણ લબ્ધિ છે. અનંત અનંત ગુણ ચઢતી યોગકલાની ખીલવણીએ મોહનીયાદિ ચાર ઘાતી કર્મોનો ક્ષય થતાં, અનંત કેળવજ્ઞાન અનંત કેવળદર્શન, અનંત દાનલબ્ધિ, અનંત લાભલબ્ધિ, અનંત ભોગલબ્ધિ, અનંત ઉપભોગલબ્ધિ, અનંત વીર્યલબ્ધિનો સાહજિક ભોક્તા આત્મા બને છે.
કેવળજ્ઞાનાદિ લોકોત્તર લબ્ધિઓની વિશેષતા છે. આત્મા પ્રતિ-સમય સ્વપર્યાયના ભોગ અને સ્વશુદ્ધ ગુણોના ઉપભોગમાં લોકોત્તર લવિશ્વના સહજાનંદી ભોક્તા બની પરમાત્મા-પદને પ્રાપ્ત કરે છે.
યોગ સાધનાની પવિત્ર પળોને ગ્રહણ કરી વિશુદ્ધ પરિણામની પાંખે ઊર્ધ્વગમન કરતાં, ક્ષપકશ્રેણી આરોહણ કરીને, માત્ર અંતર્મુહૂર્તમાં – ૪૮ મિનિટમાં જ સકળ કમોનો ક્ષય કરીને આત્મા પરમ પદ પામી શકે, એવી યોગની શક્તિ છે. ખૂબી છે.
આ જ વિશેષતા મરુદેવા માતાની યોગસાધનામાં દષ્ટિ ગોચર થાય છે. ચક્રવર્તી ભરત મહારાજાના જીવનમાં ભોગે સામગ્રી વચ્ચે પણ યોગ સધાયો હતો, તે જોવા જેવું છે.
• મહાયોગી મહાત્મા ભરતને પૂર્વ યોગના અનુસંધાનથી યોગ સાધનાનો માર્ગ સરળ બન્યો. • માતા મરુદેવાજીને પણ અલ્પ કર્મોના કારણે યોગ સાધના તત્કાળ ફળી.
Lib topic 7.1 # 5
www.jainuniversity.org