SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ થોડાક અપભ્રંશ પરંપરાના ભાષાપ્રયોગો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના આરંભ કાળની ઈ. સ. ૧૧૮૫ માં રચાયેલી કૃતિ શાલિભદ્રસૂરિકૃત ભરતેશ્વર-બાહુબલિ-રાસના ભાષાપ્રયોગે તપાસતાં એમાં અપભ્રંશને પ્રભાવ વિપુલ માત્રામાં દષ્ટિગોચર થાય છે. વ્યાકરણગત અને શદિગત બે-ચાર ઉદાહરણો અત્રે પ્રસ્તુત કરવાને ઉપક્રમ છે. ડે. હરિવલ્લભ ભાયાણી સંપાદિત “સિદ્ધહેમત અપભ્રંશ વ્યાકરણ” (ઈ.સ. ૧૯૬૧) અનુસાર સંબંધક ભૂતકૃદંત માટેના પ્રત્ય વિવ, તિ, ધ્વિભુ વગેરે વ્યંજનથી શરૂ થતા પ્રત્યે પૂર્વે સં જક સ્વર ૩, કે ૭૫ (પૃષ્ઠ ૩૯)ની નોંધ છે. એ મુજબ “ભરતેશ્વર બાહુબલિ-રાસની નીચે આપેલી આરંભની કડીમાં જ એનાં દર્શન થાય છે. રિસહ-જિણેસર–પય પશુમેવી, સરસતિ-સમિણિ મણિ સમરેવી નમવિ નિરંતર ગુરુ-ચલણિ (૧). અપભ્રંશનું ભવિષ્યકાળનું “દનું પ્રત્યયવાળું પમું એક વ.નું રૂપ પણ પંદરમી કડીમાં જોવા મળે છે ? પહિલુ તાય-પાય પણમેસે, રાજ-સિદ્ધિ રાણિયફલ લેસે ચક–ણુ તવ અણુસરવું. (૧૫) આ પ્રણામ કરીશ,” મેળવીશ, એવા અર્થના અપભ્રંશનાં ભવિષ્યકાળનાં રૂપનું અહીં દર્શન થાય છે. (અંય વર્ણમાં રૂ ને બદલે ? તથા ૩ ને બદલે શો છંદ જાળવવા કરાવે છે.) | વિભક્તિરૂપોની જેમ શબ્દપ્રયોગોમાં પણ અપભ્રંશના અનુવર્તનના બે ઉદાહરણે નોંધીએ. ભરતેશ્વર–બાહુબલિરાસ’ની ૮૪ મી કડીની બીજી પંક્તિના પૂર્વાધમાં મળતી એક સીહ અનઈ પાખરીઉ” (“એક તો સિંહ અને વળી બખ્તરિ'' એવી કહેવત સીહો અન્ય ૫ખરિઓ' સુમતિસૂરિકૃત અપભ્રંશકૃતિ “જિનદત્તાખ્યાનમાં પણ મળે છે. (સિંધી સિરીઝ ક્રમાંક ૨૦, ઈ. સ. ૧૯૫૩, સંપાદક અમૃતલાલ ભોજક; પૃષ્ઠ ૨૮, ગાથા ૨૫૦). ૧૭૯મી કડીની પ્રથમ પંક્તિના ઉત્તરાર્ધમાં મળ બીજો એક શબ્દપ્રયોગ સૂનાસના તરંગમ તુલાઈ’ અર્થાત અસવાર વગરના, ખાલી આસન (જીન) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249552
Book TitleThodak Apbhramsa Paramparana Bhasha Prayogo
Original Sutra AuthorN/A
AuthorBalwant Jani, H C Bhayani
PublisherZZ_Anusandhan
Publication Year
Total Pages2
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size236 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy