SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નપ્રભસૂરિએ પ્રાકૃતકુવલયમાલા પરથી સંસ્કૃતમાં ચાર ભાગમાં તે કથા રચી. સંવત ૧૩૨૮માં ખરતરગચ્છીય પ્રબોધમૂર્તિએ કાતંત્રવ્યાકરણ પર દુર્ગાદપ્રબોધ નામક ટીકા રચી. સંવત ૧૩૨૯માં જયમંગલસૂરિના શિષ્ય સોમચંદ્ર વૃત્તરત્નાકર નામક છંદના ગ્રંથ પર ટીકા રચી. સંવત ૧૩૨૭માં વિદ્યાનંદના ભાઈ ધર્મઘોષસૂરિએ સંઘાચારભાષ્ય-ચૈત્યવંદનભાષ્ય-વિવરણ રચ્યું. તેમજ કાલ સપ્તતિ સાવચૂરિ રચી. પછી શ્રાદ્ધ-જિતકલ્પ, ચતુર્વિશતિ જિનસ્તુતિ, દુ:ષમકાલસંઘસ્તોત્રની રચના કરી. તેઓ પ્રબળ મંત્રશાસ્ત્રી હતા. તેમણે સંવત ૧૩૫૭માં કાળ કર્યો. આ ધર્મઘોષસૂરિના શિષ્ય સોમપ્રભસૂરિએ ૨૮ યમક સ્તુતિઓ તથા યતિ-જિતકલ્પ આદિ પ્રકરણોની રચના કરી. સંવત ૧૩૨૨માં વૃદ્ધતપાગચ્છીય ક્ષેમકીર્તિએ બૃહત્કલ્પભાષ્ય અને ચૂર્ણ આધારે વિશેષ વિતરણ માટે વિવૃત્તિ રચી. તે જ સમયગાળામાં માનતુંગાચાર્યએ શ્રેયાંસ ચરિત્ર રચ્યું. શ્રુત ઉપાસકો અને સાહિત્યસર્જન [63] મુનિ દીપરત્નસાગરજી
SR No.249547
Book TitleShrut Upaasako ane Saahity Sarjan
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2015
Total Pages70
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size328 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy