________________
૨૩૮
જૈનધર્મને પ્રાણ
થઈ તપાસી ન લે, લેધી ન લે, પિતે વિચાર અને વર્તનમાં સ્થિર ન થાય, પિતે પિતાના ધ્યેય પરત્વે સ્પષ્ટ ભાન કરે ત્યાં સુધી તે બીજાને શી રીતે દેરી શકે? ખાસ કરી આધ્યાત્મિક જીવન જેવી મહત્વની બાબતમાં જે કોઈની દેરવણી કરવાની હોય તે પહેલાં-- એટલે કે બીજાના ઉપદેશક અથવા ગુરુ થયા પહેલાં–પિતાની જાતને એ બાબતમાં ખૂબ તૈયાર કરી લેવી જોઈએ. એ તૈયારીનો સમય એ જ સાધનાને સમય. આવી સાધના માટે એકાંત જગ્યા, સ્નેહીઓ અને બીજા લેકેથી અલગપણું, કોઈ પણ સામાજિક કે બીજી ખટપટમાં માથું ન મારવાપણું, અમુક પ્રકારના ખાનપાનના અને રહેણીકરણીના નિયમો—એ બધું જાયેલું હતું સ્થાનાંતર અને લોકપકાર
એ સંસ્થામાં એવા અસાધારણ પુરૂ પાડ્યા છે કે જેમની અંતર્દષ્ટિ અને સૂક્ષ્મ વિચારણા કાયમ હતી. કેટલાક એવા પણ થઈ ગયા છે કે જેમની બહિર્દષ્ટિ તો હતી છતાં અંતષ્ટિ પણ ચુકાઈ ન હતી. કેટલાક એવા પણ થઈ ગયા છે કે જેમનામાં અંતદૃષ્ટિ નહિવત્ અથવા તદ્દન ગૌણ થઈ હતી અને બહિર્દષ્ટિ જ મુખ્ય થઈ ગઈ હતી. ગમે તેમ , છતાં એક બાજુ સમાજ અને કુળધર્મ તરીકે જૈનપણને વિસ્તાર તે ગયે અને એ સમાજમાંથી જ સાધુઓ થઈ સંસ્થામાં દાખલ થતા ગયા, અને બીજી બાજુ સાધુઓનું વસતિસ્થાન પણ ધીરે ધીરે બદલાતું ચાલ્યું. જંગલે, ટેકરીઓ અને શહેરની બહારના ભાગમાંથી સાધુગણ લેકવસતિમાં આવતો ગયે. સાધુસંસ્થાઓ જનસમુદાયમાં સ્થાન લઈ અનિચ્છાએ લોકસંસર્ગજનિત કેટલાક દેશે સ્વીકાર્યા હોય, તે તેની સાથે જ તે સંસ્થાએ લેકમાં કેટલાક પિતાના ખાસ ગુણે પણ દાખલ કર્યો છે, અને તેમ કરવાનું ભગીરથ પ્રયત્ન કર્યો છે. જે કેટલાક ત્યાગી ખાત્ર અંતર્દષ્ટિવાળા હતા અને જેમણે પોતાના જીવનમાં આધ્યાત્મિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org