________________
૧૭. ચાર સંસ્થાઓ
[૧] સંધસંસ્થા : ચતુર્વિધ સંઘ ભગવાન મહાવીરે જ્યારે વર્ણબંધનનો છેદ ઉડાડી મૂક્યો ત્યારે ત્યાગના દષ્ટિબિંદુ ઉપર પિતાની સંસ્થાના વર્ગો પાડવા. મુખ્ય બે વર્ગ : એક ઘરબાર અને કુટુંબકબીલા વિનાને ફરતો અનગાર વર્ગ અને બીજે કુટુંબકબીલામાં રાચનાર સ્થાનબદ્ધ અગારી વર્ગ. પહેલો વર્ગ પૂર્ણ ત્યાગી. એમાં સ્ત્રી અને પુરુષ બને આવે, અને તે સાધુ-સાધ્વી કહેવાય. બીજે વર્ગ પૂર્ણ ત્યાગને ઉમેદવાર. એમાં પણ સ્ત્રી અને પુરુષ બને આવે, અને તે શ્રાવકશ્રાવિકા કહેવાય. આ રીતે ચતુર્વિધ સંઘવ્યવસ્થા–અથવા બ્રાહ્મણપથના પ્રાચીન શબ્દને નવેસર ઉપયોગ કરીએ તે ચતુર્વિધ વર્ણ વ્યવસ્થા–શરૂ થઈ સાધુસંધની વ્યવસ્થા સાધુઓ કરે. એના નિયમ એ સંઘમાં અત્યારે પણ છે, અને શાસ્ત્રમાં પણ બહુ સુંદર અને વ્યવસ્થિત રીતે મુકાયેલા છે. સાધુસંધ ઉપર શ્રાવકસંઘનો અંકુશ નથી એમ કોઈ ન સમજે. પ્રત્યેક નિવિર્વાદ સારું કાર્ય કરવા સાધુસંધ સ્વતંત્ર જ છે, પણ ક્યાંય ભૂલ દેખાય અથવા તે મતભેદ હેય અથવા તે સારા કાર્યમાં પણ ખાસ મદદની અપેક્ષા હોય ત્યાં સાધુસંધે પોતે જાતે જ શ્રાવકસંઘને અંકુશ પિતાની ઇચ્છાથી જ સ્વીકાર્યો છે. એ જ રીતે શ્રાવકસંઘનું બંધારણ ઘણી રીતે જુદું હોવા છતાં તે સાધુસંધને અંકુશ સ્વીકારતા જ આવ્યો છે. આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org