SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રમ તત્ત્વ ૧૮૯ વસ્તુસ્થિતિ એટલું સૂચિત કરવાને માટે બસ છે કે કયારેક નિકધર્મવાદીઓના જુદા જુદા પક્ષા વચ્ચે ખૂબ વિચારવિનિમય થતા હતા. આવુ બધુ હોવા છતાં પણ ધીમે ધીમે એવા સમય આવી ગયે! કે જ્યારે આ નિવધવાદી પક્ષે પહેલાં જેટલા એકબીનની સમીપ ન રહ્યા. એમ છતાં દરેક પક્ષ કતત્ત્વ સંબધી ઊહાપોહ તે કરતા જ રહ્યો. દરમ્યાનમાં એવું પણ બન્યું કે નિવ કધવાદી. પક્ષમાં એક ખાસે કર્મચિંતક પક્ષ જ સ્થિર થઈ ગયા, કે જે મેક્ષ સબધી સવાલ કરતાં ક્રમ સબધી જ ઊંડા વિચાર કરતા હતા અને મુખ્યત્વે એનુ જ અધ્યયન-અધ્યાપન કરતા હતા—જેવી રીતે જા બીજા વિષ્ણેાના ખાસ ચિતવર્ગ પોતપોતાના વિષયમાં કરતો હતા અને અત્યારે પણ કરે છે. મુખ્યત્વે એ જ કશાસ્ત્રના ચિંતકવગ જૈનધર્મમાં કર્મશાસ્ત્રઅનુયોગધર વર્ગ કે કમČસિદ્ધાંતનેત્તા વ છે. કર્મતત્ત્વની વિારણાની પ્રાચીનતા અને સમાનતા કમબંધનાં કારણો અને એના નાશના ઉપાય) સંબંધમાં તે અધા મેક્ષવાદી ગૌણ-મુખ્યભાવે એકમત જ છે, પણ કમ તત્ત્વના સ્વરૂપ સબંધમાં ઉપર સૂચવેલ કર્મચિંતક વસ્તુ જે મંતવ્ય છે એ જાણવુ' જરૂરી છે. પરમાણુવાદી મેક્ષમાગી વૈશેષિક વગેરે કમને ચેતનનિષ્ઠ માનીને અને ચેતનના ધર્મ કહેતા હતા; જ્યારે પ્રધાનવાદી --પ્રકૃતિવાદી સાંખ્યયોગ એને અંતઃકરણસ્થિત માનીને જડ કહેતા હતા. પરંતુ આત્મા અને પરમાણુને પરિણામી માનવાવાળા જૈન ચિંતા પોતાની જુદી પ્રક્રિયા પ્રમાણે કર્મને ચેતન અને જડ બન્નેનાં પરિણામરૂપે ઉભયરૂપ માનતા હતા. એમના મત મુજબ આત્મા ચેતન ।વા છતાં સાંખ્યના પ્રકૃતિજન્ય અત:કરણની જેમ સકાય-વિકાસશીલ હતા, જેમાં કર્મરૂપી વિકારો પણ સંભવ છે. અને જે જડ પરમાણુઓ સાથે એકરસ પણ થઈ શકે છે. વૈશેષિક વગેરેના મત મુજબ કમ ચેતન હોવાને લીધે ખરી રીતે ચેતનથી જુદુ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.249517
Book TitleKarmtattva
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Jaindharma_no_Pran_002157.pdf
Publication Year1962
Total Pages22
LanguageGujarati
ClassificationArticle & Karma
File Size480 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy