________________
આધ્યાત્મિક વિકાસક્રમ
મોક્ષ એટલે આધ્યાત્મિક વિકાસની પૂર્ણતા. આવી પૂર્ણતા કાંઈ એકાએક પ્રાપ્ત થઈ શકતી નથી, કારણ, તેને પ્રાપ્ત કરવામાં અમુક વખત વ્યતીત કરે પડે છે, તેથી જ મોક્ષ મેળવવા માટે આધ્યાત્મિક ઉત્ક્રાન્તિને કમ સ્વીકારવું પડે છે. તત્ત્વજિજ્ઞાસુઓના હૃદયમાં સ્વાભાવિક રીતે જ એ પ્રશ્ન ઉદ્ભવે છે કે આ આધ્યાત્મિક ઉ&ાનિતને કેમ કેવા પ્રકારનો હોય છે? આત્માની ત્રણ અવસ્થા - આધ્યામિક ઉલ્કાન્તિના ક્રમને વિચાર આવતાં જ તેની સાથે તેના આરંભને અને સમાપ્તિને વિચાર આવે છે. તેનો આરંભ એ તેની પૂર્વ સીમા અને તેની સમાપ્તિ એ તેની ઉત્તર સીમા. પૂર્વ સીમાથી ઉત્તર સીમા સુધી વિકાસને વૃદ્ધિક્રમ એ જ આધ્યાત્મિક ઉત્ક્રાતિક્રમની મર્યાદા. તેના પહેલાંની સ્થિતિ એ આધ્યાત્મિક અવિકાસ અથવા પ્રાથમિક સંસારદશા, અને તેની પછીની સ્થિતિ એ મેક્ષ અથવા આધ્યાત્મિક વિકાસની પૂર્ણતા. આ રીતે કાળની દૃષ્ટિએ સંક્ષેપમાં આત્માની અવસ્થા ત્રણ ભાગમાં વહેચાઈ જાય છે: (અ) આધ્યાત્મિક અવિકાસ, (૩) આધ્યાત્મિક વિકાસક્રમ, (૪) મોક્ષ.
A. (આત્મા સ્થાયી સુખ અને પૂર્ણ જ્ઞાન માટે તલસે છે. તેમ જ તે દુઃખ કે અજ્ઞાનને જરાયે પસંદ કરતું નથી. છતાં તે દુઃખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org