SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ નિગ્રંથ સંપ્રદાયની પ્રાચીનતા ૫૩ (૩) નિગ્રંથ સંપ્રદાયની અનેક બાબતોનું બુદ્ધ તથા એમના સમકાલીન શિષ્યોએ નજરે જોયા જેવું વર્ણન કર્યું છે–ભલે પછી એ વર્ણન પ્રાસંગિક હોય કે ખંડનની દૃષ્ટિથી કરવામાં આવ્યું હોય. એટલા માટે બૌદ્ધ પિટમાં મળતા નિગ્રંથ સંપ્રદાયના આચારવિચારને લગતા નિર્દેશ એતિહાસિક દૃષ્ટિએ ખૂબ મહત્વ છે. પછી જ્યારે આપણે બદ્ધ ફિરકામાં આવતા નિગ્રંથ સંપ્રદાય સંબંધી નિશાની, ખુદ નિગ્રંથ પ્રવચનરૂપે ઉપલબ્ધ આગમિક સાહિત્યમાંના નિદેશની સાથે, શબ્દ અને ભાવની દષ્ટિએ, સરખામણું કરીએ છીએ ત્યારે એમાં સંદેહ નથી રહેત કે બન્ને નિર્દેશ પ્રમાણભૂત છે–ભલે પછી બન્ને બાજુએ વાદી-પ્રતિવાદીને ભાવ રહ્યો હોય. જેવી બૌદ્ધ પિટકની રચના અને સંકલનાની સ્થિતિ છે, લગભગ એવી જ સ્થિતિ પ્રાચીન નિગ્રંથ આગમોની છે. બુદ્ધ અને મહાવીર બુદ્ધ અને મહાવીર સમકાલીન હતા. બન્ને શ્રમણ સંપ્રદાયના સમર્થક હતા, છતાં બન્ને વચ્ચેનું અંતર જાણ્યા વિના આપણે કોઈ નિર્ણય ઉપર નથી પહોંચી શકતા. પહેલું અંતર તે એ છે કે બુદ્ધ મહાભિનિષ્ક્રમણથી લઈને તે પિતાના નવા માર્ગ–ધમચકનું પ્રવતન કર્યું, એ છ વર્ષ દરમ્યાન તેઓ એ સમયે પ્રચલિત ભિન્ન ભિન્ન તપસ્વી અને યોગી સંપ્રદાયનો એક પછી એકને સ્વીકાર અને ત્યાગ કરતા રહ્યાજ્યારે મહાવીરને કુળ પરંપરાથી જે ધર્મમાગ પ્રાપ્ત થયે હતો એને સ્વીકાર કરીને તેઓ આગળ વધ્યા અને એ કુળ પરંપરાગત ધર્મમાં પિતાની સૂઝ અને શક્તિ પ્રમાણે એમણે સુધારે કે શુદ્ધિ કર્યા. એકને માર્ગ જૂના પંથને ત્યાગ કર્યા બાદ નવા ધર્મસ્થાપનને હતો, તે બીજાને માર્ગ કુળધર્મનું સંશોધન માત્ર હતા. તેથી આપણે જોઈએ છીએ કે બુદ્ધ ઠેર ઠેર પહેલાં સ્વીકારેલ અને નહીં સ્વીકારેલ છે. મઝિમનિકાય સુર ૧૪, પ૬. દીધનિકાય સુલ ૨૯, ૩૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249508
Book TitleNirgranth Sampraday ni Prachinta
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Jaindharma_no_Pran_002157.pdf
Publication Year1962
Total Pages11
LanguageGujarati
ClassificationArticle & History
File Size342 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy