________________
૩૪.
જૈનધર્મને પ્રાણું
તે વળી કઈક કેવળ ચિત-શુદ્ધિ કે અસંગતા [–અનાસક્તિ] ઉપર વધારે ભાર આપતી હતી. પણ બધાનું સમાન ધ્યેય સામ્ય કે સમતા હતું.
જે શાખાએ સામ્યસિદ્ધિજન્ય અહિંસાને સિદ્ધ કરવા માટે અપરિગ્રહ ઉપર વધારે ભાર આવે તેમ જ અગાર-ગૃહ-ગ્રંથ કે પરિગ્રહબંધનના ત્યાગ ઉપર વધારે ભાર આપ્યો અને કહ્યું કે જ્યાં સુધી કુટુંબ તેમ જ પરિગ્રહનું બંધન હોય ત્યાં સુધી પૂર્ણ અહિંસા કે પૂર્ણ સામ્ય ક્યારેય સિદ્ધ ન થઈ શકે, શ્રમણધર્મની એ જ શાખા નિગ્રંથ નામે વિખ્યાત થઈ. આના મુખ્ય પ્રવર્તકે નેમિનાથ તથા પાર્શ્વનાથ જ હોય એમ લાગે છે. વીતરાગપણને આગ્રહ
અહિંસાની ભાવનાની સાથે સાથે તપ અને ત્યાગની ભાવના અનિવાર્ય રીતે નિગ્રંથ ધર્મમાં ગૂંથાઈ તે ગઈ જ હતી, પરંતુ સાધકનાં મનમાં એ પ્રશ્ન ઊભું થયું કે બાહ્ય ત્યાગ ઉપર વધારે પડતે ભાર આપવાથી શું આત્મશુદ્ધિ કે સામ્ય પૂર્ણ રૂપે સિદ્ધ થઈ શકે ખરાં ? આના જવાબમાંથી જ એ વિચાર જાગે કે રાગ, દેષ વગેરે મલિન વૃત્તિઓ ઉપર વિજય મેળવો, એ જ મુખ્ય સાધ્ય છે. જે અહિંસા, જે તપ કે જે ત્યાગથી આ સાધ્યની સિદ્ધિ ન થઈ શકે એ અહિંસા, તપ કે ત્યાગ ગમે તેવાં કેમ ન હોય, પણ આધ્યાત્મિક દષ્ટિએ એ નકામાં છે. આ જ વિચારના પ્રવર્તક “જિન” કહેવાવા લાગ્યા. આવા જિન અનેક થયા છે. સચ્ચક, બુદ્ધ, ગોશાલક અને મહાવીર, એ બધા પિતાપિતાની પરંપરામાં જિનરૂપે પ્રસિદ્ધ થયેલા છે, પરંતુ અત્યારે “જિનકથિત જૈનધર્મનું નામ દેવાથી મુખ્યત્વે મહાવીરના ધર્મને જ બંધ થાય છે, જે મુખ્યત્વે રાગદ્વેષના વિજય ઉપર જ ભાર આપે છે. ધર્મવિકાસને ઈતિહાસ કહે છે કે ધર્મની ઉત્તરોત્તર ઉદયમાં આવવાવાળી નવી નવી અવસ્થાઓમાં તે તે ધર્મની પ્રાચીન અવિરોધી અવસ્થાઓને સમાવેશ જરૂર થઈ જાય છે. એટલા માટે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org