SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મને પ્રાણુ કર્મને સંબંધ ક્યારે અને શા માટે થયેલ, અથવા એવો સંબંધ કેણે કર્યો? એ જ રીતે એ પ્રશ્ન પણ ઊભે થાય છે કે સ્વભાવથી શુદ્ધ. એવા આત્મતત્વની સાથે જે કઈ ને કઈ રીતે કર્મને સંબંધ થયેલે, માનવામાં આવે તે ચારિત્ર દ્વારા મુક્તિ પ્રાપ્ત થયા પછી પણ ફરી કર્મનો સંબંધ કેમ નહીં થાય ? આ બે પ્રશ્નોને જવાબ બંધાય આધ્યાત્મિક ચિંતકોએ લગભગ એકસર જ આપી છે. સાંખ્ય યોગ હોય કે વેદાંત, ન્યાય-વૈશેષિક હોય કે બૌદ્ધ, એ બધાંય દર્શનની જેમ જૈન દર્શનનું પણ એ જ મંતવ્ય છે કે કર્મ અને આત્માને સંબંધ અનાદિ છે, કારણ કે એ સંબંધની પહેલી ક્ષણ જ્ઞાનની સીમાની સર્વથા. બહાર છે. બધાંએ એમ માન્યું છે કે આત્માની સાથે કર્મ, અવિદ્યા. કે માયાને સંબંધ પ્રવાહરૂપે અનાદિ છે, આમ છતાં વ્યક્તિરૂપે એ સંબંધ સાદિ છે, કારણ કે આપણે સૌને એ અનુભવ છે કે અજ્ઞાન, અને રાગ-દ્વેષથી જ જીવમાં કર્મવાસનાની ઉત્પત્તિ થતી રહે છે. કર્મ સર્વથા છૂટી ગયા પછી આત્માનું જે પૂર્ણ શુદ્ધ રૂપે પ્રગટ થાય છે, એમાં ફરી કમ કે વાસના ઉત્પન્ન કેમ નથી થતાં એને ખુલાસે, તકવાદી આધ્યાત્મિક ચિંતકોએ એ કર્યો છે કે આત્મા સ્વભાવે શુદ્ધિને પક્ષપાતી છે. શુદ્ધિ દ્વારા ચેતના વગેરે સ્વાભાવિક ગુણોને પૂર્ણ વિકાસ થયા પછી અજ્ઞાન કે રાગદ્વેષ જેવા દેશે મૂળથી જ નષ્ટ થઈ જાય છે, અર્થાત્ પ્રયત્નપૂર્વક શુદ્ધિને પામેલ આત્મતત્વમાં પિતાનું સ્થાન મેળવવામાં એ દેવો સર્વથા નિર્બળ બની જાય છે. ચારિત્રનું કામ જીવનમત વૈષમ્યનાં કારણેને દૂર કરવાં, એ છે જેને જૈન પરિભાષામાં “સંવર' કહે છે. વૈષમ્યના મૂળ કારણ અજ્ઞાનનું નિવારણ આત્માની સમ્યફ પ્રતીતિથી થાય છે, અને રાગ-દ્વેષ જેવા કલેશોનું નિવારણ માધ્યથ્યની સિદ્ધિથી. એટલા માટે આંતર ચારિત્રમાં બે જ બાબતો આવે છે: (૧) આત્મજ્ઞાન-વિવેકખ્યાતિ; (૨) માધ્ય કે રાગ-દ્વેષ આદિ કલેશને વિજય. ધ્યાન, વ્રત, નિયમ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249507
Book TitleJain Dharm no Pran
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Jaindharma_no_Pran_002157.pdf
Publication Year1962
Total Pages22
LanguageGujarati
ClassificationArticle & Philosophy
File Size480 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy