________________
૩૮
જૈનધર્મને પ્રાણ
વિચારમાં સામ્યદૃષ્ટિની ભાવના ઉપર જે ભાર આપવામાં આવ્યો છે એમાંથી જ અનેકાંતદષ્ટિ કે વિભાજ્યવાદને જન્મ થયે છે. કેવળ પિતાની દૃષ્ટિ કે વિચારસરણુને જ પૂર્ણ અંતિમ સત્યરૂપ માનીને એને આગ્રહ રાખે, તેથી સામ્યદષ્ટિને ઘાત થાય છે. તેથી કહેવામાં આવ્યું છે કે બીજાઓની દષ્ટિનો પણ એટલે જ આદર કરવો જોઈએ કે જેટલે પિતાની દૃષ્ટિ. આ સામ્યદૃષ્ટિ જ અનેક તવાદની ભૂમિકા છે. આ ભૂમિકામાંથી જ ભાષાપ્રધાન સ્યાદ્વાદ અને વિચારપ્રધાન નયવાદને ક્રમે ક્રમે વિકાસ થયે છે. એવું નથી કે બીજી પરંપરાઓમાં અનેકાંતદષ્ટિને સ્થાન જ નથી. મીમાંસક અને કપિલદર્શન–સાંખ્યદર્શન ઉપરાંત ન્યાયદર્શનમાં પણ અનેકાંતવાદનું સ્થાન છે. બુદ્ધ ભગવાનનો વિભજ્યવાદ અને મધ્યમમાર્ગ પણ અનેકાંતદષ્ટિનાં જ ફળ છે, આમ છતાં જૈન પરંપરાએ જેમ અહિંસા ઉપર ઘણો વધારે ભાર આપ્યો છે, એ જ રીતે એણે અનેકાંતદષ્ટિ ઉપર પણ ઘણું વધારે ભાર દીધું છે. તેથી જેન પરંપરામાં આચાર કે વિચારનો એવો કોઈ વિષય દેખાતો નથી કે જેની સાથે અનેકાંતદષ્ટિ જોડવામાં ન આવી હોય અથવા જે અનેકાંતદષ્ટિની મર્યાદાથી બહાર હેય. એને લીધે જ બીજી બીજી પરંપરાઓના વિદ્વાનોએ અનેકાંતદષ્ટિને માનવા છતાં એના ઉપર સ્વતંત્ર સાહિત્યની રચના નથી કરી, જ્યારે જૈન પરંપરાના વિદ્વાનેએ એના અંગરૂપ સ્વાદ, નયવાદ આદિના બોધક અને સમર્થક વિપુલ સ્વતંત્ર સાહિત્યનું સર્જન કર્યું છે. અહિંસા
હિંસાથી નિવૃત્ત થવું એ જ અહિંસા છે. જ્યાં લગી હિંસા કોની થાય છે, તથા હિંસા કોણ અને કયા કારણે કરે છે, અને એનું પરિણામ શું આવે છે, એ ન સમજાવાય ત્યાં લગી આ વાત પૂરેપૂરી સમજવામાં નથી આવતી. આ જ પ્રશ્નને સ્પષ્ટ રૂપે સમજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org