SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ સામાયિક ૪૮૯ તીર્થંકર પરમાત્માની સાક્ષીએ, ગુરુ ભગવંતની સાક્ષીએ કે છેવટે પોતાના આત્માની સાક્ષીએ એ કરી શકાય છે. કોઈકની સાક્ષીએ ક્રિયાવિધિ કરવામાં આવે તો તે વધારે વિશદ્ધ રીતે થાય છે. કોઈક આપણને જુએ છે એમ જાણતાં કાર્ય આપણે સભાનપણે વધુ સારી રીતે કરીએ છીએ તેવી રીતે ધાર્મિક વિધિ કોઈકની સાક્ષીએ થતી હોય તો તેમાં બળ અને ઉત્સાહ આવે છે અને શિથિલતા, ઉતાવળ, અશુદ્ધિ, પ્રમાદ વગેરે દૂર થવાનો સંભવ રહે છે. પ્રત્યક્ષ સદ્ગુરુની સાક્ષીએ ક્રિયાવિધિ થાય તો તે સૌથી ઉત્તમ છે, કારણ કે તેમાં આવશ્યકતાનુસાર ગુરુનું માર્ગદર્શન મળ્યા કરે છે. શ્રાવકોએ સામાયિક વિધિપૂર્વક ગુરુમહારાજની સાક્ષીએ કરવું જોઈએ. એ માટે ઉપાશ્રયમાં કે સ્થાનકમાં જઈ, તેમની સમીપે બેસી, તેમની અનુજ્ઞા લઈ સામાયિક કરવું જોઈએ, પરંતુ ગૃહસ્થને સાંસારિક જવાબદારીઓમાંથી તેવી અનુકૂળતા ન મળે તો સામાયિક ઘરે કરવું જોઈએ, પરંતુ સામાયિક ચૂકવું ન જોઈએ. વળી કોઈ વખત ઉપાશ્રયમાં કે અન્ય સ્થાનમાં જો ગુરુ ભગવંતની ઉપસ્થિતિ ન હોય તો તેમની સ્થાપના પ્રતીકરૂપે કરવી જોઈએ. સ્થાપના તરીકે પ્રતિમા, ચિત્ર, કે અક્ષ, વાટક (કોડા), કાષ્ઠ, ગ્રંથ વગેરેને રાખી શકાય અને તેમાં ગુરુમહારાજની ઉપસ્થિતિ છે એવી ભાવના ભાવવી જોઈએ. આવા પ્રતીકને સ્થાપના-ગુરુ કહેવામાં આવે છે. ગુરુમહારાજ તરીકે આદર્શ આચાર્ય ભગવંતાનો છે માટે આ પ્રતીકને સ્થાપનાચાર્ય કહેવામાં આવે છે. ગુરુભગવંતની ભાવના માટે શાસ્ત્રકારોએ સામાયિકની વિધિમાં સ્થાપનાચાર્ય સમક્ષ જમણો હાથ પ્રસારી નવકારમંત્ર બોલી, પછી પરિદિય સૂત્ર બોલવાનું કહ્યું છે. એ સૂત્રમાં આચાર્ય ભગવંતના છત્રીસ ગુણ દર્શાવવામાં આવ્યા છે “આવા ઉત્તમ ગુણો ધરાવતા આચાર્ય ભગવંત મારા ગુરુ ભગવંત છે.' એવા ભાવ સાથે એમની સાક્ષીએ સામાયિક કરવાનું હોય છે. જો સાક્ષાત્ ગુરુ મહારાજ હાજર હોય તો “પંચિદિય” સૂત્ર બોલવાની આવશ્યકતા રહેતી નથી. જો સ્થાપનાચાર્યની સગવડ ન થઈ શકતી હોય તો પચિદિય સૂત્ર બોલીને, તેવી ભાવના સાથે સામાયિક કરી શકાય. જૈન ધર્મે અહિસા વ્રતનો બોધ આપ્યો છે એટલે પંચ મહાવ્રતધારી સાધુ ભગવંતોએ જીવરક્ષાની બાબતમાં સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો સધી અહિંસાવ્રતનું જયણાપૂર્વક પાલન કરવાનું હોય છે. ઊઠતા-બેસતાં, બોલતાં-ચાલતાં સૂક્ષ્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249490
Book TitleSamayik
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Publication Year2007
Total Pages41
LanguageGujarati
ClassificationArticle & Ritual
File Size805 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy