________________
જેને દર્શનમાં કાળની વિભાવના
૧૪૭ કાળથી આચાર્યોમાં મતમતાંતર છે. કાળ દ્રવ્ય છે એમ ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે.
धम्मो अधम्मो आगासं दबमिक्किक्कमाहियं ।
अणंतापि च दबाणि, कालो पुग्गलजंतवो ।। (ધર્મ, અધર્મ અને આકાશ એ દ્રવ્યો એક એક કહ્યાં છે. કાળ, પુદ્ગલ અને જંતુ (જીવ) એ દ્રવ્યો અનંતા કહ્યા છે)
તત્ત્વાર્થસૂત્રમાં વાચક ઉમાસ્વાતિએ અપર્યાયવત્ દ્રવ્યમ્ એમ કહ્યા પછી કહ્યું છે : નરત્યેક (પ.૩૮) એટલે કે કેટલાક કાલને પણ દ્રવ્ય તરીકે ગણે છે એમ કહ્યું છે. એનો અર્થ એ થયો કે ઉમાસ્વાતિ વાચકની પૂર્વે પણ “કાળના સ્વરૂપ વિશે ભિન્ન ભિન્ન મત પ્રવર્તતા હશે અને કેટલાક એને સ્વતંત્ર દ્રવ્ય તરીકે માનતા હશે અને કેટલાક નહીં માનતા હોય.
કાળ દ્રવ્યના ચાર મૂળ ગુણ છે : (૧) અરૂપી, (૨) અચેતન, (૩) અક્રિય અને (૪) નવાપુરાણ વર્તના લક્ષણ. વર્ણ, રસ, ગંધ અને સ્પર્શરહિત કાળદ્રવ્યના ચાર પર્યાય છે : (૧) અતીતદ, (૨) અનાગત, (૩) વર્તમાન અને (૪) અગુરુલઘુ કાળ દ્રવ્યમાં આ ચાર મૂળ ગુણ અનાદિ- અનંતના ભાગે છે. કાળના ચાર પર્યાયમાં અતીત કાળ અનાદિ સાત્ત છે અને અગુરુલઘુ કાળ અનાદિ અનંત છે. જીવાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય સ્વક્ષેત્રે અસંખ્યાત પ્રદેશરૂપ છે. પુદ્ગલાસ્તિકાય સ્વક્ષેત્રે એક પરમાણરૂપ છે અને કાળદ્રવ્ય સ્વક્ષેત્રે એક સમયરૂપ છે.
કાળ વિશે બીજો મત એવો છે કે કાળના અસંખ્યાત અણુઓ છે. સંપૂર્ણ કાળ લોકાકાશ પ્રદેશ-પ્રમાણ છે. એક એક આકાશપ્રદેશ પર એક એક કાલાણુ છે. પરમાણુ શગતિ અને મંદગતિવાળા હોય છે. શીધ્રગતિવાળા પરમાણુ એક સમયમાં ચૌદ રાજલોક સુધી પહોંચી શકે છે. કાળના પરમાણુ મંદગતિવાળા છે. મંદગતિ પરમાણુ એક આકાશપ્રદેશમાંથી બીજા આકાશ-પ્રદેશમાં જાય એમાં જેટલો કાળ લાગે તે સમય પર્યાય કહેવાય છે. એ સમય પર્યાય જે દ્રવ્યમાં રહે તે દ્રવ્ય કાળ છે. રત્નોના ઢગલાની જેમ કાલાણુઓ અસંખ્યાત દ્રવ્યરૂપ છે. ‘દ્રવ્યસંગ્રહ'માં કહ્યું છે : રચUTT રા તે છાત્માપૂ સંઘ 1 કાલાણુ માટે ડબ્બીના અંજનની સરખામણી પણ અપાય છે.
જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશ એ પાંચે દ્રવ્યના પરિવર્તનમાં કાલ નિમિત્ત કારણ છે. અથવા સહકારી કારણ છે. એ દૃષ્ટિએ કાલદ્રવ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org