SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ જિનતત્ત્વ કાલવિશેષે પાત્રને ભાવથી જે દાન અપાય છે તે દાન કલ્પવૃક્ષ અને ચિંતામણિરત્નના પ્રભાવને પણ હઠાવી આપે છે. દાતા તો સુપાત્રને દાન આપે, પરંતુ સુપાત્ર એવા મુનિઓએ દાન લેતી વખતે દાતાના મનના ભાવોનો પણ વિચાર કરીને તે પછી જો યોગ્ય લાગે તો જ દાન લેવું જોઈએ. કવિ જયશેખરસૂરિ ઉપદેશચિંતામણિ'માં બીજી એક ગાથા નીચે પ્રમાણે ટાંકે છે : करुणाइ परिखाए लोभेण भयेण अमरिसेणं वा । जसपसिठा दाणं अरिहंति कयावि न हु मुणिणो।। કરૂણાથી, પરીક્ષાથી, લોભથી, ભયથી અથવા અદેખાઈથી તેમજ યશ અને જ્યોતિષાદિ નિમિત્તથી દાન લેવાને ક્યારેય પણ મુનિઓ યોગ્ય નથી. મારા આપ્યા વિના આ બિચારા મુનિઓનું શું થશે એમ વિચારવું તે કરુણા કહેવાય, મુનિઓ નિર્લોભી હોય છે એમ સાંભળ્યું છે પણ તે સાચું છે કે નહિ તે માટે મારું આપેલું લે છે કે નહિ એમ વિચારવું તે પરીક્ષા કહેવાય, દાન આપવાથી તે ભવમાં કે બીજા ભવ માટે ભોગાદિકની પ્રાર્થના કરવી તે લોભ કહેવાય, આ મુનિઓને સત્કારપૂર્વક હું દાન નહિ આપું તો તેઓ મને શાપ આપશે એમ વિચારવું તે ભય કહેવાય, અમુક માણસે દાન આપ્યું છે પણ તેનાથી હું જરાય ઓછો નથી એમ વિચારીને આપવું તે અમર્ષ કહેવાય. ધન લેનારના કે બીજાના મુખથી પ્રશંસા સાંભળવાની ઇચ્છા કરવી તે યશ કહેવાય. મેં દાન આપ્યું છે એટલે હવે તે મુનિ હું જ્યારે પણ પૂછીશ ત્યારે જ્યોતિષ, મંત્રવિદ્યા વગેરે મને કહેશે.' – સાચા મુનિઓએ આવી રીતે મળતું દાન લેવું ન જોઈએ. પોતાના વિસ્તારની બુદ્ધિથી યોગ્ય ભક્તિદાન લેવાને જ તેમનો અધિકાર છે. સુપાત્રદાનની જેમ જ્ઞાનદાન અથવા શ્રુતદાનનું પણ એટલું જ મહત્ત્વ સ્વીકારાયું છે. એક અપેક્ષાએ સર્વ દાનોમાં શ્રુતદાનને પ્રધાન ગણવામાં આવ્યું છે, કારણ કે એ દાનથી જ આત્મા મોક્ષમાર્ગ પર આરૂઢ થઈ મોક્ષગતિ પ્રાપ્ત કરે છે. અન્ય કેટલાક પ્રકારનાં દાનો તે મેળવનારને ભૌતિક સુખસગવડ કે અનુકૂળતા કરી આપનારાં હોય છે, જે દરેકની પરંપરાએ પરિણતિ એકસરખી ન હોય. સાચું જ્ઞાનદાન, આપનાર અને લેનાર બંનેના આત્માને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249447
Book TitleDandharm
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherZ_Jintattva_Granth_1_002039.pdf and Jintattva_Granth_2_002040.pdf
Publication Year2007
Total Pages25
LanguageGujarati
ClassificationArticle & Religion
File Size579 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy