________________
‘શ્રી પુંડરીકશિખરીસ્તોત્ર' અપરનામ ‘શ્રી શત્રુંજયમહાતીર્થપરિપાટિકા'
यत्राम्बिका वितनुते किल सङ्घरक्षां श्रीमानसौ विजयतां गिरिरुज्जयन्तः ॥ इत्येवंविधरेवताचलशिरः शृङ्गारचूडामणिविश्वाम्भोजविकासवासरमणिस्त्रैलोक्यचिन्तामणिः । सेव्यः सैष तमोवितानविजये चन्द्रोपमैः सूरिभिः श्री मिर्जगतां विभुर्भवतु मे दुष्टाष्टकच्छिदे ||
પ્રસ્તુત સ્તવનના વિષયમાં પં બાબુભાઈનાં અવલોકનો વર્તમાન સંદર્ભમાં ઉપયુક્ત છે; કાળનિર્ણય માટે બીજો પણ મુદ્દો છે. “શ્રી શત્રુંજયમહાતીર્થપરિપાટિકા” અપરનામ “શ્રીપુંડરીકશિખરીસ્તવ”, જો કે તેમાં કર્તાનું નામ નથી આપ્યું છતાં ધ્વનિ, સંઘટન તથા આકાર-પ્રકારમાં તેને ખૂબ જ મળતી આવતી રચના છે. પ્રસ્તુત કૃતિનો રચનાકાળ પ્રા મધુસૂદન ઢાંકીએ ઈ. સ. ૧૩૦(૧)૫ અને ૧૩૨૦ વચ્ચેનો હોવાનો નિર્ણય કર્યો છે૧૭ ૪
**
..
‘પ્રસ્તુત બંને કૃતિઓ એક કર્તૃક હોવાનો પૂરો સંભવ હોઈ, તેમ જ બંને એક જ પ્રતિમાં ઉપલબ્ધ થઈ હોઈ સાંપ્રત રચનાને ઈસ્વીસન્ના ચૌદમા શતકના પ્રથમ ચરણમાં મૂકવામાં કોઈ આપત્તિ નથી.” “રચિયતાએ પોતાના ગચ્છ કે ગુર્વાદિક વિશે કશું કહ્યું નથી. પરિપાટીને અંતે ૨૧માં શ્લોકમાં “સેવ્યઃ સૈષ તોવિતાનવિનયે દ્રોપમે: ભૂમિ:' આ પ્રમાણે કર્તાએ પોતાના નામનો ઉલ્લેખ શ્લેષપૂર્વક કરેલો હોવાથી કર્તાનું નામ “વિજયચંદ્રસૂરિ” હોવાનું નિશ્ચિત થાય છે૯.’
૨૯૫
“વિજયચંદ્ર” નામવાળા ચારેક સૂરિઓ મધ્યકાળમાં થઈ ગયા છે. સમયની દૃષ્ટિએ સૌ સાંપ્રત કૃતિના સંભાવ્ય કાળથી ઠીક ઠીક પૂર્વે થઈ ગયા હોઈ આ સ્તોત્રના કર્તા કોઈ અઘાવધિ અજ્ઞાત વિજયચંદ્ર જણાય છે॰.'
Jain Education International
પં. બાબુભાઈનાં અવલોકનો સાર્થક છે અને તદનુસાર પુંડરીતિશખરીસ્તવના કર્તા પણ વિજયચંદ્ર હોવાનો પૂરો સંભવ છે. તેમ જ સ્તવનો સમય પ્રાયઃ ઈસ્વી ૧૩૧૫-૧૩૨૦ના અરસાનો, એટલે કે સમરાશાહના ઈ. સ. ૧૩૧૫ના પુનરુદ્ધાર અને ખરતરવસહીની રચના(પ્રાયઃ ઈસ્વી ૧૩૨૦)ની વચ્ચેના ગાળાનો છે.
ટિપ્પણો :
૧. આ વિશે વિસ્તારથી મૂળપાઠો સહિત ચર્ચા મારા The Sacred Hills of Satrunjayagiri નામક પુસ્તકમાં આવનાર હોઈ અહીં વિશેષ કહીશ નહીં.
૨. એજન.
૩. એજન.
For Private & Personal Use Only
www.jainelibrary.org