________________ 208 નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ (2) ફુગ્વઝ-મન-સિદ્ધાંત પડાવત, શ્રી દિગંબર જૈન કુંથુ વિજય ગ્રંથમાલા સમિતિ, જયપુર 1982, પૃ 139-140 તથા પૃ. 144-145, 12. પ્રભાચંદ્રના કથન અનુસાર સંસ્કૃત ભક્તિઓ પાદપૂજ્ય સ્વામી(પૂજયપાદ દેવનંદિ)ની રચેલી છે. પણ પં. નાથુરામ પ્રેમી આદિ વિદ્વાનોને આ અનુશ્રુતિની સત્યતામાં સંદેહ છે. (જુઓ પ્રેમી, “દેવનંદિકા જૈનેન્દ્ર વ્યાકરણ”. જૈન સાહિત્ય ઔર ઈતિહાસ, મુંબઈ, 1956, પૃ. 48; તથા સદરહુ ગ્રંથમાં “હમારે તીર્થક્ષેત્ર”, પૃ. 423.) 13. દશભક્તિઓમાં “નિર્વાણ ભક્તિ” આજે જે રૂપે મળે છે તેમાં પ્રથમનાં 20 પદ્યો તો “વીર પંચાલ્યાણક સ્તોત્ર” રૂપેણ કોઈ અલગ કર્તાની ભિન્ન શૈલીમાં (મોટે ભાગે જટા સિંહનંદીની શૈલીમાં જુદા જ છંદમાં, નોખી જ રચના છે. 14. ઉપર્યુક્ત “નિર્વાણભક્તિમાં “વીર પંચકલ્યાણક સ્તોત્ર” પછીથી આવતાં 12 પદ્યો જ અસલી નિર્વાણભૂમિસ્તોત્ર” છે. 15. આ માન્યતા ક્ષત્રપ કાળના ઉત્તરાર્ધમાં રચાયેલ આગમોમાં સૌ પ્રથમ જ દેખા દે છે. 16. દશ ભક્તિઓમાં “નંદીશ્વરભક્તિ” નામની રચના મૂળે બે ભિન્ન ભિન્ન રચનાઓનું જોડાયેલું સ્વરૂપ છે. ૧થી 28 પધો સુધીની જ રચના “નંદીશ્વરસ્તુતિ” છે. તે પછીના ૨૯થી 37 સુધીનાં પડ્યો “નિર્વાણભૂમિસ્તુતિ” છે અને ત્યાર બાદના ૩૮થી લઈ 60 સુધીનાં 23 પધો તીર્થકરોનાં અતિશય અને અષ્ટમહાપ્રાતિહાર્ય સંબદ્ધ છે. આમ આ ત્રણે રચનાઓ જો એક જ કર્તાની હોય તો પણ ત્રણ પૃથકુ વિષયને આવરી લેતી રચનાઓ જ માનવી જોઈએ. (આ સંબંધમાં વિસ્તારપૂર્વક અને સપ્રમાણ ચર્ચા હું અન્યત્ર એક અંગ્રેજી લેખમાં કરી રહ્યો છે.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org