________________
Vol. 1.1995
ત્રણ પ્રકીર્ણ અભિલેખો
૩૫
થઈ ગયા છે. આ સિવાય જીર્ણોદ્ધાર સમયે સાબુ ગોવિન્દ ૧૫મા શતકના ભરાવેલ મૂળનાયકની નવીન પ્રતિમાનો અત્યંત ઘસાયેલો લેખ પણ જેટલો વંચાયો તેટલો પ્રકાશમાં આવી ગયો છે. અઢી-ત્રણ દાયકા પૂર્વે શેઠ આણંદજી કલ્યાણજી તરફથી થયેલ જીર્ણોદ્ધારમાં ગૂઢમંડપના એક અષ્ટકોણ સ્તબ્બ (ક્રમાંક ૮) પરથી ચૂનાદિનો લેપ ઉખેડયા બાદ નિમ્નલિખિત ૧૭ પંકિતનો લેખ પ્રકાશમાં આવ્યો છે. યથા : (જઓ સંલગ્ન ચિત્ર ૬)
(૨) ઝૂ મા સ્વતિ શ્રીમદ્ દિન(૪) (૨) પુરપાટ સંવ.૨૩૦૨ વર્ષે મા(३) द्रवा शुदि १ गुरावधेह श्री (૪) મદારજુગાધિરાજ શ્રવણ(૧) વિનય રાષે શ્રતિનિr(૬) ૮ તિgમાન શ્રીનિતા(७) मिदेवीय कल्याणकयात्रायां (૮) સંપાદુકય વળા () ત્રિ(૨) ૩-માતિ-મૃતીન શા(૨૦) T૦ તે સુત ૪૦ બT(૧૨) વ..... ના મ f a (૨)
(૨૩)
. देवअजितस्वामि
વિતા | લેખની છેલ્લી ચાર પંકિતઓ ઘસાઈ ગયેલ હોઈ તે પૂરેપૂરી વાંચવી દુષ્કર છે. સાંપ્રત લેખની સાફસફાઈ બાદનાં થોડાં વર્ષો પછી મારી મુલાકાત સમયે તે લેખ વંચાયો તેવો ઉતારી લીધેલો. તે પછી બેએક વર્ષ બાદ પ્રા. મધુસૂદન ઢાંકીએ વારાણસીસ્થિત American Institute of Indian Studies ના તસવીર-સંગ્રહમાંથી સંદર્ભગત લેખનું ચિત્ર મોકલી આપેલું, જેના આધારે કેટલીક વિશેષ સ્પષ્ટતા થઈ શકી છે.
લેખ સં. ૧૩૦૨ { ઈસ. ૧૨૪૬માં અણહિલ(લ્લ) પુરપાટકમાં (વાઘેલા) મહારાજાધિરાજ વિશળદેવનું શાસન ચાલતું હતું ત્યારે તારણિગઢ (તારણદુર્ગે) સંતિષ્ઠમાન શ્રી અજિતસ્વામિ દેવની કલ્યાણક યાત્રા સંબંધનો છે. લેખમાં સંબંધકર્તા સંઘના પ્રમુખ વણિકોનાં નામ આપ્યાં છે. સંભવતા (શ્રાવિકા) શ્રીદેવી તરફથી કોઈ દાન આપ્યાનો પ્રસંગ હોય તેમ લાગે છે.
લેખ વીસળદેવના શાસન સમયનો, અને તેનું નામ દેતો હોઈ, મહત્વનો છે.
લા. દ. ભા. સં. વિ. મું, ના સંગ્રહમાં પ્રસ્તુત અભિલેખ સફેદ આરસ પર કોતરેલ ૪૮ પદ્ય ઉપરાન્તની પ્રશસ્તિના, જમણી તરફનો બચી ગયેલા ૧/૩ ભાગપ્રાય: ૩૯ X ર૭ સે. મી. ના માપના અવશિ છે (મતિ વિભાગ નં. ૧૩). લેખ મળે ૧૯ પંકિતમાં હતો અને પંડિત દીઠ સરેરાશ ૨ થી સહેજ ઝાઝેરાં પધો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org