SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ સંત (સ્વ.) અગરચંદ નાહટા અને મધુસૂદન ઢાંકી Nirgrantha સ્વર્ગારોહણપ્રાસાદ અનુપમા-સરોવરને કાંઠે, મંત્રીશ્વર વસ્તુપાલના ઈ. સ. ૧૨૭૯માં થયેલ સ્વર્ગાગમન બાદ, ત્યાં દાહભૂમિ પર મંત્રીબંધુ તેજપાળ તેમજ વસ્તુપાળ-પુત્ર ચૈત્રસિંહે મંત્રીશ્વરના સ્મરણમાં બંધાવેલો હોવાનું અન્ય ઘણાં પ્રમાણોથી સિદ્ધ છે3.) સ્તોત્રકાર વચ્ચે આવતા અનુપમા-સરોવરનો ઉલ્લેખ કર્યા સિવાય હવે દક્ષિણ શ્રૃંગનાં ચૈત્યોની વાત કહેવી શરૂ કરે છે. ત્યાં (વ્યાઘ્રીપ્રતોલી = વાઘણપોળ, જે મંત્રીશ્વર વસ્તુપાળે ઇ. સ. ૧૨૩૦ના અરસામાં બંધાયેલી તેમાં) પ્રવેશતાં, દષ્ટિગોચર થતાં (સ્તંભનાધીશ)પાર્શ્વ, ઇન્દ્રમંડપ, જિનસુવ્રત, રૈવત(પતિ, નેમિનાથ), અને સત્યપુરેશ્વર વીરનાં મંદિરોનો ઉલ્લેખ કરે છે, અને તે બધાં વસ્તુપાળે કરાવેલાં તેવો સ્પષ્ટ નિર્દેશ પણ ત્યાં આવે છે. આ પછી (આદીશ્વર ભગવાનની ટૂંકમાં આવેલા) સીમંધરાદિ વિદેહક્ષેત્ર-સ્થિત વર્તમાન જિનો (વીસ વિહરમાન), નંદીશ્વરપ્રાસાદ, પાંડવો (ની પ્રતિમાઓનો પટ્ટ), કોટાકોટિ-જિનાલય, ચરણપાદુકા, અને લેપમયી ત્રેવીસ (જિન) પ્રતિમાઓનો ઉલ્લેખ કરે છે. સ્તોત્રકારે અહીં ચૈત્યોનો ક્રમ કયાંક કયાંક ઉત્ક્રમ્યો છે: જેમકે ભૃગુપુરાવતાર જિન મુનિસુવ્રત અને સત્યપુરાવતાર વીરનાં મંદિર આદીશ્વર-ભગવાનની ટૂકમાં હતાં; જ્યારે નંદીશ્વર-પ્રાસાદ વાઘણપોળની સામે ઇન્દ્રમંડપની પાસે કયાંક હતો. એમ જણાય છે કે છન્દના મેળ અને લય સાચવવા સ્તવનકારે ક્રમવારીનો થોડોક ભોગ આપ્યો છે. સ્તોત્રકાર ઉલ્લિખિત આ વાસ્તુ-શિલ્પ-પ્રતિમાદિ રચનાઓમાં વસ્તુપાલના સમકાલિક લેખકો કોટાકોટિ ચૈત્ય, સીમંધરાદિ વીસ વિહરમાન જિન, ચરણપાદુકા, તેમજ ૨૭ લેપમયી પ્રતિમાઓનો ઉલ્લેખ કરતા નથી. આથી સંભવ છે કે આ બધી વાસ્તુ-શિલ્પ-પ્રતિમાદિ કૃતિઓ વસ્તુપાળના સમય પશ્ચાત્ અને આ સ્તોત્રની રચના વચ્ચેના ગાળામાં બની હોય. (કોટાકોટિચૈત્ય તો માલવમંત્રીરાજ પેથડે બનાવ્યાનું અને એથી ઇ સ૦ ૧૨૬૪ના અરસામાં કરાવ્યાનું સુનિશ્ચિત છે જ.) આ પછી નવમા શ્લોકમાં આદીશ્વરના (મૂળગભારામાં) ડાબી બાજુએ રહેલ ગણધર પુણ્ડરીકની યથોચિત સ્તુતિ આદીશ્વર ભગવાન સમેત કરી છે. ૩૨ અંતિમ પદ્યમાં કર્તાએ આગળ કહ્યું તેમ પોતાની ટૂંકમાં ઓળખાણ આપી છે, અને રચના-સંવત નિર્દેશ્યો છે. આ મધુર અને સુલલિત સંસ્કૃત રચના શત્રુંજય સંબંધમાં સંપ્રતિલભ્ય રચનાઓમાં મહત્ત્વપૂર્ણ સ્થાન લેશે. ટિપ્પણો (૧) આ હકીકત કયાંથી નોંધેલી તે સ્રોતને લગતી નોંધ આ પળે હાથવગી ન હોઈ તેનો નિર્દેશ અહીં દઈ શકાયો નથી. (૨) વિગત માટે જુઓ દ્વિતીય સંપાદકનો લેખ : ‘A Propos of the Image of Jina Rsabha with Nami and Vinami on Satrunjaya Giri'', Aspects of Indian Art and Culture {S. K. Saraswati Commemoration Volume), Eds. Jayant Chakrabarty and D. C. Bhattacharya, Calcutta 1983, pp.56-63, figs 7-9. Jain Education International श्रीशत्रुंजयचैत्यपरिपाटीस्तोत्रम् (શાર્દૂલવિક્રીડિતમ્) मोहध्वान्त वितानतानवनवप्रोद्भासिभानुप्रभं चिन्तातीतफलप्रदानविधये चिन्तामणिः प्राणिनाम् । वलोकन एवदत्त परमानंदं मुदा मेदुरः श्रीशत्रुंजयपर्वते जिनपतिं नाभेयदेवं स्तुवे ॥१॥ पूर्वं श्रीभरतेश्वरेण भरतक्षेत्रक चूडामणौ शैलेऽस्मिन् स्वकुलावचूल चरितः स्वामी स्वयं कारितः । यस्योद्धारमकारयत् स सगरस्ते पाण्डवाद्या नृपाः तं वन्दे विमलाचलेन्द्रतिलकं देवाधिदेवं प्रभुम् ॥२॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249314
Book TitleShatrunjaya Chaitya Paripati Stotra
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, M A Dhaky
PublisherZ_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf
Publication Year1995
Total Pages3
LanguageGujarati
ClassificationArticle & Stotra Stavan
File Size290 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy