SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪] દર્શન અને ચિંતન સનું પહેલું પગથિયું. અધ્યાપક તે ખરેખર વ્યાકરણમૃતિ તેમ જ સંસ્કૃત ભાષાના ક્ષેત્રમાં વિશ્રત. પરંતુ મારી મુશ્કેલી જુદી હતી. એક તે યોગ્ય રીતે, મને અનુકૂળ આવે તેવી રીતે અને તેટલે વખત વાંચી સંભળાવે કોણ? બીજું, શીખવા ધારેલ ગ્રંથ તે વખતે છપાયેલ નહિ, માત્ર હસ્તલિખિત હતું. ત્રીજું એ કે એ શબ્દાનુશાસન કદ અને વિસ્તારમાં બહુ મોટું, તેમ જ તેના અંગે પણ ઘણું. અને ચોથું એ કે પાઠશાળામાં એ બહદવ્યાકરણ શીખનાર કોઈ પણ સાથી ન હતો. આ મુશ્કેલીઓ આજે લાગે છે તેવી તે વખતે હળવી ન હતી. પણ દેવને સંકેત કઈ અકળ જ હોય. છે ! ત્યાં તે વખતે વિદ્યમાન એવા બે-ચાર સાધુઓએ મને એટલે બધે ઉત્સાહ આવે અને મારી ત્યાર સુધીની વિદ્યાભૂમિકા તેમ જ જિજ્ઞાસા જોઈ તેમણે તે માટે અને એટલે બધે ગ્ય માન્યો કે છેવટે મારી મૂંઝવણ હળવી થતી ગઈ. અત્યારના વિજયેન્દ્રસૂરિ અને તે વખતના મુનિ ઇન્દ્રવિજયજીએ એ લિખિત પિથી વાંચી સંભળાવવાનું માથે લીધું. અધ્યાપક તે અસાધારણ હતા જ. આમ ગાડું આગળ ચાલ્યું. અધ્યયન અને પરિશીલન હું જે કાંઈ શીખતે તે બધું મેઢે યાદ જ કરતે. શીખવા અને મોઢે યાદ કરવાનો સમય બહુ પરિમિત એટલે બચત બધે જ સમય શીખેલ ભાગને પુનઃ પુનઃ વિચાર કરવામાં જ. જે કે શક્તિ, જિજ્ઞાસા અને મૃતિને અનુસરીને, હું તે વખતે બહુ ત્વરાથી પ્રગતિ કરી શકત, પણ પ્રમાણની દષ્ટિએ તેટલી પ્રગતિ ન થતી, છતાં અર્થવિચાર અને મનનના લાભ એ ખોટ કાંઈક અંશે પૂરી પાડી એમ મને લાગે છે. પાઠશાળામાં બીજા અધ્યાપક હતા. જે યાયિક તેમ જ દાર્શનિક હતા. સંસ્કૃત ભાષામાં બોલવાના અભ્યાસ અને કાંઈક વધારે સમજણ જોઈ તેઓ મારા પ્રત્યે મમતા સેવતા થયા અને આગ્રહ કર્યો કે તમે તો ન્યાય શીખો. હું પણ એ ભણી વ. આ રીતે વ્યાકરણના અધ્યયન સાથે જ ન્યાય-વૈશેષિક દર્શનનું અધ્યથન ચાલ્યું. ન્યાય શીખતી વખતે ઘણીવાર મનમાં અસ્પષ્ટ એમ થઈ આવતું કે જાણે આ વસ્તુ શીખેલી ન હોય અને એમાં સમજણ જેટલો જ રસ પણ પડત. દેશમાં એટલે કે કાઠિયાવાડમાં હતો ત્યારે જે સંસ્કૃત પુસ્તકમાં પેગ લાધે તે અર્થ સમજ્યા વિના પણ કંઠસ્થ કરતાં ન ચૂકતે. તેથી દેશમાં જ કાલિદાસકૃત “રઘુવંશ' કાવ્યના નવ સર્ગો, નવેક દિવસ પૂરતું કેઈનું પુસ્તક ભળવાથી, શબ્દમાત્ર કંઠસ્થ કરેલા. પેલા દાર્શનિક અધ્યાપક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249311
Book TitleMaru Vidyadhyayana
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages14
LanguageGujarati
ClassificationArticle & Biography
File Size254 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy