SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ • ] દેશન અને ચિંતન પૈસાઘર કે સત્તાધારી કે મદારીøત્તિના ગુરુવર્ગનાં રમકડાં માત્ર બની જાય છે. તેમનું ધર્મ અને તત્ત્વજ્ઞાનનું શિક્ષણ તેમને જ કેદમાં પૂરે છે. અને સમાજ તે જ્યાં હતેા ત્યાં જ રહે છે. જાતી ઢમની જે પાઠશાળાઓ ધશિક્ષકને તૈયાર કરે છે અગર જે પાઠશાળાઓ એવા ધમ શિક્ષકાને આશ્રય આાપે છે, તેમ જ જે નવી ઢમનાં ગુરુકુળા, બ્રહ્મચર્યોંત્રમા અને છાત્રાલયે કે કૉલેજો આ દિશામાં કામ કરે છે તે બધાંની એક દર ઓછેવત્તે અ ંશે આ જ સ્થિતિ છે. તેમાં શીખનાર વિદ્યાર્થી હાય કે શીખવનાર પડિત. માસ્તર કે અધ્યાપક હાય; તે બધા જાણે પરવશપણે અને અરુચિથી જ એ શીખ-શિખવે છે એમ ગમે તે જોનાર જોઈ શકશે. એક તરફ ધમ અને તત્ત્વજ્ઞાનના શિક્ષણ પ્રત્યેનો અનુરાગ આપણને હાડાહાડ વ્યાપેલ છે, અને ખીજી બાજુ તેવું શિક્ષણ લેનાર કે દેનાર પ્રત્યે આપણી જોઈએ તેવી બહુમાનત્તિ નથી એટલુ જ નહીં પણ મોટે ભાગે તે આવું શિક્ષણ લેનાર કે દેનારને આપણે તુચ્છ દૃષ્ટિથી જોઈએ છીએ. આના પડઘા ધમ અને તત્ત્વજ્ઞાનનું શિક્ષણ લેનાર વિદ્યાર્થી અને દેનાર શિક્ષા ઉપર પડે છે. તે એક અથવા બીજી લાચારીને લીધે તેમાં પડેલ હાય છે. પણ તે પેાતાના મનને ચોવીસે કલાક કહ્યા કરે છે કે તું આ ચક્રમાંથી મુક્ત થા ! ધર્મ તત્ત્વજ્ઞાનના શિક્ષણમાં જેમણે અનેક વર્ષો ગાળ્યાં હાય એવા અનેક તેજસ્વીને મે જોયા છે કે જે હંમેશને માટે તે ક્ષેત્ર છેડી દે છે. એટલું જ નહી પણ પોતાની સંતતિ કે પોતાના લાગતા વળગતા કાઈને એ રસ્તે જતાં તદ્દન શકે છે. આનુ મૂળ, ધર્મ અને તત્ત્વજ્ઞાનનું શિક્ષણ લેનાર દેનાર પ્રત્યેની આપણી તુષ્ટિમાં રહેલું છે. મે એકવાર એક સમય સસ્થા ચલાવનાર બહેનને કહેલું કે તમે ધર્મ –શિક્ષણના જેટલો આગ્રહ રાખે છે, ઓછામાં એન્ડ્રુ તેટલું બહુમાન તો ધર્માશિક્ષક પ્રત્યે રાખવું જ ઘટે, જો તમે ધશિક્ષકને હાર્દિક આદરથી નહી' જોતાં હૈ। અગર ન જોઈ શકે તે ખરી રીતે એમાં ધર્માશિક્ષણની જ હત્યા છે. જૂની પ્રણાલીમાં દોષ જોનાર નવા શિક્ષિત ગણાતા વગે પોતાને આશ્રયે ચાલતાં વિદ્યાલયે કે છાત્રાલયેામાં પણ ધર્મ કે તત્ત્વજ્ઞાનના શિક્ષણ વિષે કાઈ ધ્યાન ખેંચે એવા સુધારા કર્યાં નથી એ એકદુ દેવ છે. ઘણીવાર એમ જ લાગે છે કે નવશિક્ષણ પામેલ વકીલ, સેલિસિટર, ઍરિસ્ટર ૉક્ટર કે વ્યાપારી–એ બધા નવી સંસ્થામાં ધર્મ અને તત્ત્વજ્ઞાનનું શિક્ષણ આપે–અપાવે છે તે માત્ર તીપુરાહિતની વૃત્તિ જેવું છે. એવા પુરાહિતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249308
Book TitleSuvarna Chandraka Samarambha Prasange
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages14
LanguageGujarati
ClassificationArticle & Biography
File Size258 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy