SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ સુવર્ડ્ઝ ચન્દ્રક સમાર’લ પ્રસગે [ ૨૭: શક્તિ હાય અને તેવા અવકાશ પણ હોય તે મારે બીજા દેખીતા લાબાને ભાગે પણ એ જ પરંપરાનું કામ મુખ્યપણે કરવું જોઈએ. છેવટે માનવ– સમાજ તો એક જ છે, જૈન સમાજ એ મોટા સમાજનું નાનું પણ અગત્યનું અંગ છે. તેની સાહિત્ય અને સંસ્કાર સમૃદ્ધિ પ્રાચીન હેડવા ઉપરાંત ઉપયાગી અને મૂલ્યવતી પણ છે, તો પછી એનું સંશોધન કાં ન કરવું? છેવટે તા જો સશોધન સાચું અને વ્યાપક હશે તો ખીજી દાનિક પરંપરાના સંશોધનમાં પણ ઉપયોગી થશે. આવી શ્રદ્દાયી હુ છેલ્લાં ત્રીશ વર્ષ થય અવિચ્છિન્નપણે જૈનપરંપરાના શાસ્ત્રીય અને વ્યાવદ્વારિક ક્ષેત્રને અલ્પાંશ પણ ખેડી રહ્યો છું. એ ખેડાણની અસર જૈન સમાજના રૂઢ વર્ગોમાં ગમે તેટલી ઊલટી થઈ હોય છતાં વાસ્તવિક રીતે એણે જૈન પરંપરાના વિચારપ્રદેશને પણ ઉન્નત કરવામાં કે પરિમાર્જિત કરવામાં અપાંશે પણ ફા આપ્યો છે એમ હું અનુભવથી કહુ તે કાઈ મયુક્તિ કે લૈંક્તિ ન સમજે, કેમકે છેવટે તા મારી પામરતા અને અલ્પતાનું મને જેટલું ભાન છે તેટલું ખીજાને ભાગ્યે જ હશે. આટલું કથન પણ એટલા માટે કરું છું કે તટસ્થ અને નિર્ભય વૃત્તિનું પરિણામ એક દર કેવું ઇષ્ટ આવે છે તે સમજી શકાય. . મે સામાજિક અને રાષ્ટ્રીય દૃષ્ટિએ જે વિચારો ધર્મ અને તત્ત્વજ્ઞાનની વ્યાપક દૃષ્ટિએ કાંઈક વધારે અથવા એમ કહે કે એવા વિચારે મારે કરવા પડયા છે. જૈન–જૈનેતર સમાજમાં ચાલતી અનેક સંસ્થાઓમાં અષાતા ધર્મ તત્ત્વજ્ઞાન વિષયક શિક્ષણ અને તેના પાઠ્યક્રમનું ઘેાડુ પરિશીલન પણ કર્યું છે. મને અનુભવે લાગ્યું છે કે આપણે ત્યાં અપાતુ' ધર્મ અને તત્ત્વજ્ઞાનનું શિક્ષણ બહુ જ સ'કુચિત દૃષ્ટિથી તેમ જ અયાગ્ય હાથે–અયેાગ્ય રીતે અપાય છે. પરિણામે એવું શિક્ષણ લેનાર, આગળ જતાં જો તેજસ્વી હોય તેા ધર્મ અને તત્ત્વજ્ઞાનના શિક્ષણ પ્રત્યે અશ્રદ્ધાળુ બની જાય છે. અને જો તે મધ્યમ શક્તિનો અગર પ્રથમાધિકારી હોય તો સાવ જડ બની જાય છે. તે પેાતાનું સત્ય બીજાને બુદ્ધિપૂર્વક સમજાવી નથી શકતા અને ખીજાનું ગમે તેટલું સારું તેમ જ સચોટ વક્તબ્ધ હોય તોપણ તેને કાં તો સમજી જ નથી શકતા અગર તે સમજવાની પરવા નથી કરતા. તેથી જ્યાં ટ્રૂખે! ત્યાં ધમ અને તત્ત્વજ્ઞાનનાં શિક્ષણને પરિણામે નિસ્તેજ માસ્તાનું જ જૂથ નજરે પડે છે. અધ્યયન, વિચાર અને વિવેકની વધારેમાં વધારે સામગ્રીના આ જમાનામાં પણ ન સમાજ઼ના ધર્મ કે તત્ત્વજ્ઞાનના શિક્ષકો સાવ તેજહીન જ દેખાય છે; અને Jain Education International કર્યો છે તે કરતાં વિચારશ કર્યાં છે. એને લીધે મે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249308
Book TitleSuvarna Chandraka Samarambha Prasange
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages14
LanguageGujarati
ClassificationArticle & Biography
File Size258 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy