SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ અમારા પ્રવાસ [ ૨૩ ત્રાસ ખમનાર દરેક યાત્રી માત્ર મનથી જ નહિ પણ મેઢા સુદ્ધાંથી દાંતા સ્ટેટની વ્યવસ્થાને શ્રાપ આપે છે અને પાછા તીર્થ'ની શ્રદ્ધામાં કે હિંદુસ્થાનના સર્વસામાન્ય ગંભીર અજ્ઞાનમાં કે આપણે શું કરી શકીએ ? એવી વારસાગત નિર્બળતામાં અને છેવટે સહિતની પરંપરાગત એપરવામાં એવા ત્રાસને ભૂલી જાય છે અને ખમી જાય છે. એ ત્રાસના અનુભવનાર અનેક યાત્રીઓના મુખથી નીકળતી શ્રાપરંપરા સાંભળી મને વિચાર આવ્યો કે વિરમગામની લાઈનદારી સામે જે હિલચાલ લેકાએ ઉપાડી છે તે કરતાં પણ વધારે સખત હિલચાલ ગુજરાતના હિંદુ વગે` દાંતા સ્ટેટ સામે ઉપાડવી જોઈ એ અને અખાભક્તોના માર્ગને સરળ બનાવવા જોઈ એ. હિલચાલમાં જનોએ પણ ઉત્સાહભેર ભાગ લેવા જોઈ એ. ગુજરાતના શિક્ષિત ધનાઢય અને સ્વમાનપ્રિય વગે આ હિલચાલ ગમે ત્યારે ઉઠાવવી જ પડશે. એમાં એક બાજુ ભૂતયા છે, મનુષ્યત્વના પ્રેમ છે અને બીજી આજી. અંધશ્રદ્ધાને શુદ્ધ કરવાના વિચારી પ્રયાસ છે. ના પાલિતાણાના મૂડકાવેરાની ખતમાં સ્ટેટ સામે કેમ લડી રહ્યા છે એનું રહસ્યદર્શન મને એ યાત્રામાં થયું. એક વાર મૂંડકાવેરામાં નમતુ આપવાથી અને લેાકેાની તીર્થં-શ્રદ્ધા રૂપ કામધેનુ ગાયને મરજી પ્રમાણે દેહી તે દૂધ ઉપર (કહેા કે લોકોના લોહીબિંદુ ઉપર) એશઆરામની ઈમારત ઊભી કરનાર રાજાઓના અધિકાર કબૂલ રાખવાથી યાત્રી તેમ જ સત્તાધારીની કેવી નૈતિક પડતી થાય છે તેનું સ્પષ્ટ દર્શન આ યાત્રામાં થયું. કાઈ રાજદ્વારી પુરુષે કરવા જોઇતા આત્રાસના વર્ણનને વધારે લંબાવવું મારે માટે અત્યારે અનધિકાર ચર્ચા છે. અખાનાં બીજા દ્રુશ્યા અંબાજીના રસ્તામાં વચ્ચે વચ્ચે અનેકવાર એક જ નદી કે વહે। આવે છે અને બીજા પણ ઝરણાં ચાલતાં દેખાય છે. પાણી થે!ડુ અને વૃક્ષ પણ બહુ ન કહેવાય, છ્તાં આગળ વધતાં આનંદપ્રદ વૃક્ષઘટા અને ટેકરીઓનાં સુંદર દૃશ્યો આવે છે. અંબાજી એ નાનકડું ગામ છે. તેમાં વસ્તી મુખ્યપણે બ્રાહ્માની છે. અખાજીના પૂજારીએ બ્રાહ્મણ અને તેના ઉપર નભતા પણ શ્રાહ્મા; એટલે બ્રાહ્મણાની જ સંખ્યા અન્ય હિંદુતીર્ઘાની પેઠે અહીં પણ વધારે હોય તે સ્વાભાવિક છે. અંબાજીનું મૂળ સ્થાન અને મંદિર અનેાનુ હોવાનાં અનેક ચિહ્ન અત્યારે પણ માજુદ છે. અબાજીમાં વસતા બ્રાહ્મણાને લાડુ વિનાના દિવસે ભાગ્યે જ જાય છે. માનતા નિમિત્તે જમાડનાર મળી જ આવે. કાઈ અમારા જેવા નાસ્તિક ય તાપણુ ત્યાંના લાડુપ્રિય બ્રાહ્મણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249304
Book TitleAmaro Pravas
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages12
LanguageGujarati
ClassificationArticle & Pilgrimage
File Size213 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy