________________
સ્મૃતિપટ
૧૨૫:
લાલબાગના ઉપાશ્રયમાં શ્રી વિજયવલ્લભસૂરિની સમક્ષ શ્રી મોતીભાઈ એક સુપ્રસિદ્ધ આચાર્યને ઉદ્દેશી કાંઈક કહેતા હતા, તેમાં મેં એક વાકય એ સાંભળ્યુ કે તેએની શૈલી ઉચ્છેદક છે.' જો કે તે આચાર્યશ્રી તેમના માનીતા હતા, કદાચ કુલગુરુ પણ કહેવાય; છ્તાં ઉપરના તાળેલ શબ્દ ઉપરથી મને એટલા વિચાર થયા કે, મેાતીભાઈનું વલણ વિધાયક લાગે છે. મારા ઉપર પડેલી આ પ્રાથમિક છપ ત્યારબાદના પાંત્રીસ વર્ષ જેટલા ગાળાના ઉતરાત્તર વધતા જતા પરિચયથી મને સાચી લાગી છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના થયા પછી તેમની સાથેના સીધા નહીં તા પાર સ્પરિક પરિચય પણુ વધતા ચાલ્યે. અલબત્ત, તે પહેલાં તેમનાં કેટલાંક લખાણે! મેં સાંભળેલાં, જેમાં શ્રી આનન્દધનનાં પદોના વિવેચનનુ પ્રાસ્તાવિક, જૈન દૃષ્ટિએ યાગ, સિદ્ધર્ષિની પ્રસ્તાવના એ મુખ્ય ગણાય. વિદ્યાલયમાં તત્ત્વજ્ઞાન અને ધર્મના અધ્યાપક તરીકે ૫. વ્રજલાલ નિયુક્ત થયા હતા,. જે મારા ચિરસાથી અને અંગત મિત્ર પણ હતા. વિદ્યાલયના કાર્ય કર્તાઓ, વિદ્યાર્થીઓ અને બીજા કેટલાક ઉપર પણ વ્રજલાલજીના અધ્યાપનને બહુ જ સારો પ્રભાવ પડેલા તે વિદ્યાલયનું તત્ત્વજ્ઞાન-ધર્મનું શિક્ષણુ રસપ્રદ પણુ બનેલું.
વખત જતાં એ રસ અને શ્રદ્ધામાં એટ આ. શ્રી, માહનલાલ દેસાઈ જ નહીં” પણ મેાતીભાઈ સુદ્ધાં મને મળે ત્યારે એક જ વાત કહે કે હવે વ્રજલાલ હીક કામ કરતા નથી; તમે બીજો કાઈ અધ્યાપક તાવે. મારે માટે આ સ્થિતિ ધર્મસ ંકટ જેવી હતી. એક બાજુ ચિરકાલીન અંગત મિત્રની પ્રતિષ્ઠા અને સ્થિતિના પ્રશ્ન, અને જી બાજુ વિદ્યાલયના સાર્વજનિક શૈક્ષણિક હિતાહિતનો પ્રશ્ન. મારી મૂંઝવણ દૂર થઇ નહીં, અને અવારનવાર મેતીભાઈ આદિની માગણી પણ મટી નહીં. આમ લગભગ ૬-૭ વર્ષાં વીત્યાં હશે. દરમ્યાન કેટલાંક પ્રબળ કારણસર મે' મારું વલણ વિદ્યાલયને પક્ષે જ વાયુ, અને સ્પષ્ટ નિર્ણય કરી મિત્ર વ્રજલાલજીને કહી દીધુ કે હવે આ ગાડુ આ રીતે લાંબે વખત નહીં ચાલે. તમે કાં તે સૌને પ્રથમની જેમ સતેખ આપા, નહીં તે છૂટા થાએ. અન્યથા હુ બીજો અધ્યાપક સૂચવીશ. ઘણું કરી ૧૯૨૧ કે ત્યારબાદ ચેડા સમયમાં જ પ. દરબારીલાલને લઈ હું મેતીભાઈની આફ્રિસમાં ગયે.. જરાપણુ નનુનય કર્યાં સિવાય મેાતીભાઈ એ દરબારીલાલજી માટેની મારી માગણી કે શરતો મન્ત્ર કરીને કહ્યું કે તમે પગાર છૂટથી માગી શકેા. આ સાંભળી મારું મન વિશેષ આકર્ષાયુ. અમે તે કહી દીધુ કે, આથી વધારે પૈસાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org