________________
સ્મૃતિશેષ દાદા
[૧૦૯ સમિતિ મળે ત્યારે જ એમને ખરે પરિચય સાધવાની તક સાંપડે. વર્ષમાં અનેક વાર એ સમિતિ મળે. છેલ્લે છેલ્લે ૮-૨-૧૬ના રોજ પણ એમને ત્યાં જ સમિતિ ભળેલી. એક સભ્યના નાતે હું અમદાવાદ હોઉં ત્યારે તબિયત ગમે તેવી હૈય, છતાં એ બેઠકમાં હાજર રહેવાને લાભ ખાળી ન શકું એવું આકર્ષણ દાદાસાહેબની કાર્યપદ્ધતિ, વિચારસરણી અને ખુલ્લા દિલથી. સૌ સાથે વાત કરવાની ટેવ જન્માવ્યું હતું.
કાર્યસૂચિમાં લખાયેલ કામકાજને લગતી વિગતે એમણે પ્રથમથી જ સમજી લીધી છે, એટલે ગમે તેટલાં કામો પણ ત્વરાથી પતાવે. એ કામકાજ થયા પછી આપી શકાય તેટલું વધારે વખત આપીને પણ અનેક વાતે ઉપસ્થિત સભ્ય સમક્ષ એવી ખૂબીથી કરે કે સહેજે ઊઠવાનું મન જ ન થાય. એમની બધી વાતને સામાન્ય સૂર એક જ અને તે એ કે જે કામ અનેક જણે સાથે મળી કરવાનાં હોય તેમાં અરસપરસ પૂરો વિશ્વાસ કેળવવો જોઈએ. કાંઈ ગૂઢ નહિ અને કાંઈ અન્યથા નહિ. મને તેમના આ. સૂરમાં ગાંધીજીને જ સૂર સંભળાતે.
સભાનું કામ પતે ત્યારે દાદા કાર્યકર્તાઓને અને સભ્યોને એક વાત અકૃત્રિમ રીતે નમ્રપણે કહેતા, કે વિદ્યાના ક્ષેત્રમાં તમે જે જે કામ કરે છે તે બધા તે તે ક્ષેત્રમાં નિષ્ણાત છે. હું એ ક્ષેત્રનો માનવી નથી. એટલે. તમારા ક્ષેત્ર પર ઊંડાણમાં ઊતરી વિશેષ સૂચના ન કરી શકું, પણ બીજા ક્ષેત્રમાં પડ્યો છું છતાં વિદ્યા વિશે મારે રસ જરાય ઓછો નથી. તેથી હું મારી ફરજ એટલી જ સમજું છું કે વિદ્યાના ક્ષેત્રમાં કામ કરનારા
ને બને તેટલી વધારેમાં વધારે અનુકૂળતા કરી આપવી અને તેમને સાધન પૂરાં પાડવાં. મેં તેમના આ વિચારને જીવનમાં સાકાર થતો સદાર અનુભવ્યો છે.
દાદાની એક વિશેષતા તેમની સ્પષ્ટ દૃષ્ટિ ઉપરાંત તેમની ઉદારતામાં પણ જોયેલી. ઉદારતા પણ અનેકમુખી. સંપ્રદાય કે પંથને સંકુચિત ચેપ તે હોય જ શાને? પણ સામાન્ય રીતે ઘણું મોટી વ્યક્તિઓમાં અનુભવાય. છે તે સંસ્થા પ્રત્યેને સંકુચિત દૃષ્ટિકોણ પણ કદી મેં ન જે. આમ તે તેઓ સીધી રીતે ગુજરાત વિદ્યાસભા ને તેને આશ્રયે ચાલતી બીજી સંસ્થાઓના જ મુખિયા હતા, પણ તેઓ અવારનવાર સાચી રીતે કહેતા કે ગુજરાત વિદ્યાસભા હોય કે ગુજરાત વિદ્યાપીઠ, ગુજરાત વિશ્વવિદ્યાલય હોય કે વલ્લભવિદ્યાનગર, વડોદરા યુનિવર્સિટી હોય કે લેકભારતી ગ્રામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org