SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨] દર્શન અને ચિંતન પ્રેર્યા. મહેસાણા અને પાટણ પછી ત્રીજું મારું મેં વડોદરામાં તેમની સાથે ગાળેલું. હું જેતે કે સેન્ટ્રલ લાયબ્રેરીનાં પુસ્તકોનાં પુસ્તક અને જૈન ભંડારની થિીઓની થિીઓ ઉપાશ્રયમાં તેમની પાસે ખડકાયેલી રહેતી. અને જે કઈ જાતે જઈને ન બોલાવે છે તેઓ મકાનમાં છે કે નહિ તેની ખબર માત્ર લેખણુના અવાજથી જ પડતી. સદ્દગત ચિમનલાલ એ એમના જેવા જ વિદ્યાવ્યસની અને શોધક હતા. ચિમનલાલ અગ્રેજીના વિદ્વાન એટલે તેમને માર્ગ વધારે ખૂલ્યો. શ્રી જિનવિજયજી અંગ્રેજી ન જાણે એટલે તે એ બાબતમાં પરાધીન છતાં જિજ્ઞાસા માણસને સૂવા દઈ શકતી નથી. તેથી ધીરે ધીરે તેઓ અંગ્રેજી તરફ ઢળ્યા. દરમ્યાન પિતાના વિષયનું અંગ્રેજી ભાષામાં કે જર્મન ભાષામાં પુસ્તક લખાયું છે તે તેને મેળવી ગમે તે રીતે તેને અનુવાદ કરાવી મતલબ સમજી તેને ઉપયોગ કરતા; પણ આ રીતે એક અભ્યાસનિષ્ઠ માણસ લાંબા વખત સુધી સંતુષ્ટ રહી શકે નહિ. હું જાણું છું ત્યાં સુધીમાં કૃપારકેશ, વિજ્ઞપ્તિત્રિવેણુ, શત્રુંજય તીર્થોદ્ધાર પ્રબંધ, વગેરે પુસ્તક લખવાને પાયો વડોદરામાં જ નંખાયો. અને તેમની સાહિત્ય વિષયક આકર્ષક કારકિર્દી ત્યાંથી શરૂ થઈ. જેમ જેમ વાચન વધ્યું અને લખવાની વૃત્તિ તીવ્ર બની તેમ તેમ વધારે ઊણપ ભાસતી ગઈ અને જૈન સાધુજીવનનાં બંધને તેમને સાલવા લાગ્યાં. કાલક્રમે મુંબઈ પહોંચ્યા. અનેક જૈન સાધુ સાથે હતા. મુંબઈમાં સમશીલ વિવિધ વિદ્વાનોના પરિચયે અને ત્યાંને સ્વતંત્ર વાતાવરણે તેમની અભ્યાસવૃત્તિને અનેક મુખે ઉદ્દીપ્ત કરી. એ એમને મંથનકાળ હતે. હું વાલકેશ્વરમાં તેઓને એકવાર મળ્યો ત્યારે જોયું કે તે સતત વાંચવા-વિચારવામાં મગ્ન છતાં ઊંડા અસંતોષમાં ગરક હતા. છેડા માસ પછી તેમની વૃત્તિ પૂનાના વિદ્યામય વાતાવરણે આકષ. તેઓ પૂજ્ય બુદ્ધસાધુઓને સાથ છોડી દુખિત મને એકલા પડ્યા, અને પગે ચાલતા પૂના પહોંચ્યા. અહીં ભંડાર અને વિદ્વાનોના ઇષ્ટતમ પરિચયથી તેમને ખૂબ ગોઠી ગયું. ત્યાંની પ્રાકૃતિક રમણીયતા, સાદું જીવન અને વિદ્યાર્થી તથા વિદ્વાનોની બહુલતાએ તેમને પૂનાના સ્થાયી નિવાસ માટે લલચાવ્યા. ભારત જૈન વિદ્યાલયની ચાલુ સંસ્થાને તેમણે સ્થાયી રૂપ આપવા પ્રયત્ન કર્યો, અને બીજી બાજુ ભાંડારકર ઈન્સ્ટીટયૂટમાંને લિખિત જૈન પુસ્તક સંગ્રહ જોઈ કાઢ્યો: આમાંથી તેમની શોધક બુદ્ધિને પુષ્કળ સામગ્રી મળી. અત્યાર સુધી તેઓ મને કે કમને દૃઢ જૈનત્વના આશ્રય તળે વિદ્યાવ્યાસંગ પિકી રહ્યા હતા, તે જૈનત્વ હવે પૂનાના રાષ્ટ્રીય વાતાવરણમાં, અને દેશવ્યાપી રાષ્ટ્રીય હીલચાલના વાવાઝોડામાં એસરવા માંડ્યું. અસહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249285
Book TitleAcharya Jinvijayji
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages9
LanguageGujarati
ClassificationArticle, Ascetics, & Biography
File Size165 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy